જામનગરમાં પડતર પ્રશ્નો લઇ 200 જેટલા તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ

0
905

જામનગરમાં પડતર પ્રશ્નો લઇ 200 જેટલા તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ.

તબીબોની હડતાલને પગલે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી : દર્દીઓની લાંબી કતારો લાગી.

દર્દીઓ તથા તેમના પરિવારજનો પરેશાનીમાં મૂકાયા.

દેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરમાં સરકારી સિનિયર તબીબો હડતાલ ઉપર ઉતરી જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જામનગરના મેડીકલ કેમ્પસ ખાતે 200 જેટલા તબીબો એ પોતાની પડતર માગણીને લઇને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરી અચોક્કસ મુદતની હડતાળ પાડી દીધી છે. બીજી તરફ જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ઓપરેશન માટે આવેલા દર્દીઓ સિનિયર તબીબનો હોવાથી હડતાલ નો ભોગ બની સારવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.ગુજરાત મેડિકલ/ડેન્ટલ ટીચર્સ એસોસિએશન, ઇન સર્વિસ ડોકટર એસોસિએશન, ઇએસઆઇએસ જીએમઇઆરએસ ડોકટર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજથી તમામ ડોકટરો અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં તેમજ ઇમરજન્સી સેવાઓથી પણ અડગા રહ્યા હતાં. જેને પરિણામે જી.જી. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ પરેશાનીમાં મૂકાયા હતાં. ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતાં હોય છે. ત્યારે ડોકટરોની હડતાલને પરિણામે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જેને પરિણામે દર્દીઓને લાંબી લાઇનો જોવા મળી હતી. ડોકટરોની હડતાલને પગલે દર્દીઓ દર્દથી પરેશાન તો હતા જ ઉપરથી સારવાર ન મળતાં પરેશાનીમાં વધારો થયો હતો. જેને પરિણામે દર્દીઓ તેમજ તેમના પરિવારજનોમાં રોષની લાગણી છવાઇ હતી.