કાલાવડમાં લગ્નના ઈરાદે સગીરાનું અપહરણ કરાયા પછી બન્નેએ એસીડ ગટગટાવતા ચકચાર

0
2583

કાલાવડ પંથકમાં લગ્નના ઈરાદે સગીરાનું અપહરણ કરાયા પછી બન્નેએ એસીડ ગટગટાવતા ચકચાર

  • લગ્ન શક્ય નહી લાગતા સજોડે એસિડ પીધું
  • વિધર્મી યુવાન ઉપર પોલિસ પહેરો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૧ એપ્રીલ ૨૩ .: કાલાવડમાંથી એક સગીરાનું અપહરણ કર્યા પછી સાથે લગ્ન શક્ય નહીં થાય તેવું જણાતાં અપહરણકર્તા યુવક અને સગીરાએ એસીડ પી લેતા બંનેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાલાવડમાં રહેતા એક અનુસૂચિત જાતિના પરિવારની સગીરાનું કાલાવડમાં જ કુંભનાથપરામાં રહેતા આયાન ઈકબાલભાઈ પંજાએ લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હુતં. એ પછી લગ્ન કરવા શક્ય નથી તેવું જણાતા સગીરાએ એસીડ પી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સગીરાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

અપહરણના આ બનાવમાં અપહરણ કરનાર યુવાન આયાન પંજાએ પણ એસીડ પી લેતાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ચકચારી બનાવ અંગે જામનગરના એસ.સી-એસ.ટી. સેલના ડી. વાય. એસ.પી. એમ. આર. સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.