જામનગરના ચર્ચાસ્પદ દુષ્કર્મ પ્રકરણમાં આચાર્ય મનીષ બુચ જામીન મુક્ત

0
4557

જામનગરના અતિ ચર્ચાસ્પદ દુષ્કર્મ અને પોકસોના કેસમા આરોપી મનીષ યુદુનંદન બુચનો જામીન પર છુટકારો

  • સીનીયર એડવોકેટ કોમલબેન ભટ્ટની ધારદાર દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ નવેમ્બર ૨૩ જામનગરમાં પંદર વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ અને પોકસોના અતિ ચકચારી કેસમાં સીનીયર ધારાશાસ્ત્રી કોમલબેનની દલીલો માન્ય રાખી આચાર્ય મનીષ યદુનંદનભાઈ બુચનો છુટકારો ફરમાવ્યો છે.આ કેસની વધુ વિગત એવી કે ગત તારીખ 10 એપ્રિલ 23 ના રોજ ભોગ બનનાર સગીરા દ્વારા જામનગર સિટી-બી ડિવીઝન ખાતે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (c),376 (2)(f), 376 (2)(k), 376 (2)(n), 376(2) (j), 376 (3) તથા pocso કાયદા ની કલમ 4,6,8,12 તળે ગુન્હો નોંધાયા બાદ એક પ્રતિષ્ઠિત આચાર્યા મનીષ યદુનંદન બુચની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવેલ.સદર ફરિયાદ બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડવોકેટ કોમલબેન ભટ્ટ ની ધારદાર દલીલો ના આધારે ફરિયાદમાં સાત વર્ષ દસ મહિના ઢીલ છે તથા ફરિયાદમાં તથ્ય જણાતું ના હોય તેમ ઠરાવી આરોપી મનીષ બુચના જામીન મંજૂર કરેલ છે.સદર જામીન અરજી ના કામે જામનગરના સીનિયર ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટ રોકાયેલ હતા તથા તેમની સહાયમાં એડવોકેટ કિશોરસિંહ ઝાલા તથા એડવોકેટ જયદીપ મકવાણા રોકાયેલ હતા સીનિયર એડવોકેટ કોમલબેન ભટ્ટ સદા સત્ય ને ન્યાય ની સહાય કરવામાં અગ્રેસર રહે છે તેવી પ્રતિષ્ઠા તેમણે તેમના ૨૫ વર્ષની વકીલાતમાં મેળવેલ છે