જામનગરમાં ૧૫ વર્ષની સગીરા પર આચાર્ય ”મનિષ બુચ ” નું દુષ્કર્મ

0
9563

જામનગરમાં 15 વર્ષની સગીરા ઉપર આચાર્યનું દુષ્કર્મ : શિક્ષણ જગત થયું શર્મનાક

  • જામનગર નજીક ના લાખાબાવળ માં ખાનગી સ્કુલના આચાર્યનું કારસ્તાન
  • આચાર્ય વિરૂદ્ધ અગાઉ પેપરલીક કર્યા ફરીયાદ નોંધાઈ હતી
  • શિક્ષણ જગતને કંલકીત કરતો કિસ્સો

દેશ દેવી ન્યુઝ તા.૧૪ એપિલ ૨૩ જામનગર નજીકના લાખાબાવડ પાસે ખાનગી સ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મનિષ બૂચ પર પંદર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ થતાં ખળભળાટ મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીકના લાખાબાવળની એક ખાનગી સ્કુલ આચાર્ય તરીકે ફરજ બજાવતા મનીષ બુચ સામે પંદર વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની સીટી-બી ડિવિઝનમાં ફરીયાદ નોંધાતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.જેને લઈ શિક્ષણ જગત શર્મ નાક થયું છે, ઉલ્લેખનીય છે કે મનીષ બુચ સામે અગાઉ પણ પેપર લીક કર્યા બાબતની ફરિયાદ નોંધાવી હતી હાલતો રાજકીય ધમપછાડાના દોર વચ્ચે લપટ આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે.