જામનગર દરેડમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું હોસ્પિટલમાં મોત 

0
1787

દરેડમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું હોસ્પિટલમાં મોત 

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૩૧ માર્ચ ૨૩ જામનગર નજીક દરેડ વિસ્તારમાં શ્રમિકોની વસાહતમાં બે દિવસ પહેલાં તારીખ 28.3.2023 ના સાંજે ગેસના ચૂલા ઉપર રસોઈ બનાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. રાંધણ ગેસના બાટલા ની નળી લીક થતાં આગ લાગી હતી, જેમાં બે શ્રમિક પરિવારના બાળકો સહિતના પાંચ સભ્યો દાઝી ગયા હતા, અને પાંચેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયાં કુલ્લુભાઇ યોગેન્દ્રભાઈ પાસવાન નામના 14 વર્ષના તરુણનું ગંભીર સ્વરૂપે દાઝો ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છ હતા. અન્ય બે બાળકો સહિતની ચાર વ્યક્તિ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થવાથી સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.