જામનગર હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો

0
1

જામનગર નજીક હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨, ફેબ્રુઆરી ર૫ જામનગર નજીક હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા અનિલ ઉર્ફે કાનો અશ્વિનભાઈ સનુરા નામના ૨૫ વર્ષના કોળી જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં લૂંગી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ રવિભાઈ અશ્વિનભાઈ સનુરા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. અને સમગ્ર બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.