જામનગર રામેશ્વરનગરના યુવાને ગૃહકંકાસથી કંટાળી તળાવમાં ઝંપલાવી મોત મીઠું કર્યું

0
3132

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ગૃહકંકાસથી કંટાળી યુવાને તળાવમાં પડતું મૂકયું

  • પતિ પત્ની વચ્ચે ફરવા બાબતે ડખ્ખો કારણભૂત

દેશ દેવી ન્યુઝ તા.૦૪ નવેમ્બર ૨૨  જામનગર: જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા નિર્મળનગર મુખ્ય રોડ પર રહેતાં ભાવિન પરેશભાઈ ગૌતમી (ઉ.વ.22) નામના યુવકે સાત માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ઘરકામ બાબતે તેમજ યુવકના મિત્રો સાથે ફરવા જવાની બાબતે અવાર-નવાર ઘર કંકાસ થતો હતો.પ્રેમ લગ્ન બાદ ચાલુ રહેલા ઘર કંકાસનું મનમાં લાગી આવતા ભાવિન ગુરૂવારે બપોરના સમયે તેના ઘરેથી કોઇની કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ તેણે નાઘેડીના લહેર તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.આ અંગેની જાણ થતા એએસઆઈ પી.બી. ગોજિયા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધર હતી. આ ઘટનામાં પોલીસે મૃતકના પિતા પરેશભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.