જામનગરમાં યુવાન પાસેથી ધંધો અને ટ્રેક્ટર ઝુંટવી લેનાર વ્યાજખાોર ઝડપાયો

0
7642

જામનગરના ગેરકાયદે નાણાં ધિરધાર કેસમાં એક આરોપી ઝડપાયો : ટ્રેકટર તથા બે ચેક સહિતનો મુદામાલ કબ્જે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ જુલાઈ ૨૪  જામનગરમાં દાંડિયા હનુમાન મંદિર સામે ભુતનાથ વડાપાઉં નો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ ૧૫ લોકો પાસે થી કુલ આશરે ૪૦. લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી.તે માટે આશરે ૮૧ લાખ ૪૪ હજાર ની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવા મા આવતાં આખરે તેણે ૧૫ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં ટ્રેક્ટર અને બે કોરા ચેક પડાવી લેવાના કેસમાં પોલીસે એક આરોપી ને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જામનગર સીટી બી ડીવી.પો.સ્ટે.માં ગુજરાત નાણા ધીરધાર ની કલમ મુજબનો ગુન્હો દાખલ થયો હતો. આ કામે ફરીયાદી ના પિતાજીના માલીકીનુ ટ્રેકટર તથા એસ.બી.આઇ. બેંક ખાતા ના બે કોરા ચેક સહિઓ વાળા આરોપી અતુલ ગઢવી એ બળજબરી થી મેળવી લીધા હતા. આ અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી હતી. જે દરમ્યાન આરોપી અતુલભાઈ મેઘાણંદભાઈ સાખરા ( રહે.ગામ રાવલસર, સરમત પાટીયા, ચંદરીયા સ્કુલ પાછળ તા.જી.જામનગર) ને પોલીસે અટકાયતમાં લીધો હતો.

જેની પાસે રહલા ફરીયાદીના પિતાજીના એસ.બી.આઇ. બેંક ખાતાના ૨ કોરા ચેક સહિઓ વાળા તથા રૂ.૧,૪૦,૦૦૦ ની કીમત નું ટ્રેક્ટર કબજે કર્યું હતું. પોલીસ સબ ઈન્સ. ડી.જી.રાજ એ આરોપી ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.