જામનગરમાં જૈન સાધવીઓના ઉતારામાંથી વાસણોની ચોરી કરનાર ઝડપાયો

0
3626

જામનગરમાં ત્રાંબાના આઠ નંગ ત્રાંસની ચોરી કરનાર ઝડપાયો

  • સીટી-સીના યુવરાજસિંહ, હરદીપ બારડ તથા હોમદેવ ર્સિહ જાડેજાને બાતમી મળી હતી
  • સીક્કાના ભીમા કુશભાઈ રાઠોડ નામના દેવીપુજક શખ્સને મુદામાલ સાથે ઝડપી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૪ મે ૨૩  : જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર -8 માં એક રહેણાક મકાન કે જે સાધ્વીજીઓને રહેવા માટે અને ઉતારા માટે અપાયું હતું, જે મકાનમાં થી કોઈ તસ્કરો આઠ નંગ ત્રાંબાના ત્રાસની ચોરી કરી લઇ ગયા ની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ હતી જે ચોરી નાં બનાવ નો ભેદ ઉકેલવા મા પોલીસ ને સફળતા સાપડી છે.અને એક તસ્કર ને પોલીસે ઝડપી લીધો છે.

જામનગરમાં કામદાર કોલોની શેરી નંબર એકમાં રહેતા મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહ નું કામદાર કોલોની પાસે મકાન આવેલું છે, કે જે મકાન હાલ તેઓએ જામનગર મા પધારેલા જૈન સાધ્વીજીઓને ઉતારા માટે આપેલું છે. જે મકાન માં ગત તાં. 3/5/23 નાં કોઈ તસ્કર એ પ્રવેશ મેળવી લીધો હતો, અને મકાનમાંથી રૂ.6500 ની કિંમત નાં આઠ નંગ ત્રાંબા ના ત્રાસ ની ચોરી કરી લઈ ગયા હતા.જે બનાવ અંગે મહેન્દ્રભાઈ એ પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.જે.બનાવ મા પોલીસે આજે સિક્કા ગામ નાં ભીમા કુશભાઈ રાઠોડ ને દિગજામ માર્ગે થી ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.