જામનગરમાં નેપાળી કુકનો રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

0
4570

જામનગર માં નેપાળી કુક નો રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૭ જૂન ૨૪ , જામનગરમાં રહેતા અને રસોયા તરીકે કામ કરતા નેપાળી યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

મૂળ નેપાળના અને હાલ જામનગરમાં સિદ્ધનાથ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ઝીરો સાઈઝ હોટલમાં રસોયા તરીકે કામ કરતા ડમ્બર ગોપાલભાઈ સુનાર (ઉ.વ.૧૯)એ ગતરાત્રે પોતાના ઘરમાં લોખંડના પાઈપમાં નાયલોનનો પટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વિરલ સીમરીયા એ પોલીસ માં જાણ કરતા એએસઆઈ ફિરોઝ દલએ તપાસ હાથ ધરી છે.