જામનગર ખંભાળિયા ગેટ પાસે ડોક્ટર ની કાર અડફેટ આધેડનું મોત

0
5468

જામનગરમાં બેકાબુ બનેલી ડોકટરની કાર અડફેટ આધેડનું મોત

  • ખંભાળીયા ગેટ પાસેનો બનાવ : બેકાબુ કારે આધેડનો જીવ લીધો
  • જામનગરના નામાંકીત ડૉ. આર્ચાયનાપુત્રના નામે કાર RTOમાં નોંધાયેલ છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જૂન ૨૩ જામનગર શહે૨માં કામ પરથી પરત ફરી રહેલા આધેડને કયાં ખબર હતી કે, તેની જીંદગીનો છેલ્લો દિવસ છે, શહેરના ખંભાળિયા ગેઇટ પાસે પહેાચતાની સાથે જ પુરઝડપે આવેલી ડોકટરની કારે વૃદ્ધને હડફેટે લેતા તેને ગંભીર હાલતમાં 108 મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થતાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. શહેરના નામાંકિત ડોકટરની કારે આધેડને આ રીતે હડફેટે લઇ મૃત્યુ નિપજાવતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના કિશાન ચોક નજીક રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતા નારણભાઇ જીવાભાઇ વારસાખીયા (ઉ.વ.55) નામના આધેડ કારખાનેથી કામ પુરુ કરીને સાંજના સમયે ઘરે સાયકલ પર પરત ફરતા હતાં ત્યારે ખંભાળિયા નાકા બહાર આવેલા ત્યારે અચાનક પુરઝડપે આવેલી કાર GJ-10-CN-1386 ના ચાલકે તેમને હડફેટે લઇ થાંભલા સાથે ભટકાડતા આધેડને ગંભીર ઇજાઓ પહોચી હતી, તાત્કાલિક 108 ને બોલાવી આધેડને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત પામેલા જાહેર કર્યા હતાં. જેના કારણે ગરીબ પરીવાર પર આભ ફાટી પડયું હતું. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાર માલિકની તપાસમાં લાગી છે. પરંતુ ત્યાં હાજર લોકોનું કહેવું છેકે, ડોકટ૨ની કાર હતી અને આધેડને હડફેટે લીધા હતાં. આ બનાવના પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.