જામનગરમાં એસપી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

0
2336

જામનગરમાં ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદના તહેવાર ને અનુલક્ષીને પોલીસ વિભાગની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

  • જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં જામનગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં આગામી દિવસોમાં ભગવાન ગણેશજી ની મૂર્તિ વિસર્જનના તહેવાર અને ઇદે મિલાદ ના તહેવારો બન્ને એકસાથે આવી રહ્યા છે.ત્યારે આજે જામનગરના દરબારગઢ સર્કલમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.જેમાં હિન્દુ સમાજ તરફથી મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ), સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપના અગ્રણી જીગરભાઈ રાવલ, ઉપરાંત પ્રજવલભાઈ વગેરે તેમજ મુસ્લિમ સમાજ નાં અગ્રણી જુમાભાઈ ખફી, સહારા બેન મકવાણા ઉપરાંત બંને સમાજ નાં અન્ય આગેવાનો ,સ્થાનિકો બહોળી સંખ્યામાં મા ઉપસ્થીત રહ્યા હતા.જિલ્લા પોલીસ વડા એ તમામ ને શાંતિ પૂર્વક પોતાના તહેવારો ઉજવવા અપીલ કરી હતી.જેનો તમામ અગ્રણીઓ તરફથી હકારત્મક પ્રતિભાવ મળ્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસવડા તેમજ સીટી ડિ.વાય.એસ.પી. સહિતના પોલીસ અધિકારીઓનું હિંદુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આવેળાએ સીટી એ. ડિવિઝનનો અન્ય પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.