જામનગરના ફ્રુટ ના વેપારીનો રહસ્યમય સંજોગોમાં નદીમાં ઝંપલાવી આપઘાત

0
6040

જામનગરના ફ્રુટ ના વેપારી નો રહસ્યમય સંજોગોમાં બેડની નદીમાં ઝંપલાવી આપઘાત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ઓગસ્ટ ૨૪, જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા અને ફ્રુટ નો વેપાર કરતા ૨૫ વર્ષના એક વેપારી યુવાને રહસ્યમય સંજોગોમાં બેડ ની નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે રહેતો અને દરબારગઢ વિસ્તારમાં ફ્રુટ ની દુકાન ચલાવતો મુસ્તુફા કાસમભાઈ મેમણ નામનો ૨૫ વર્ષનો ફ્રૂટ નો વેપારી, કે જે ગઈકાલે સવારે પોતાના ઘેરથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેણે નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેનો મૃતદેહ બેડની નદી માંથી મળી આવ્યો હતો.

આ બનાવ અંગે મૃતક ના ભાઈ અબ્દુલભાઈ કાસમભાઈ મેમણે પોલીસને જાણ કરતા સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, જાણી શકાયો નથી, પોલીસ દ્વારા તેના પરિવારજનોનું નિવેદનો નોંધવાનું શરૂ કરાયું છે.