જામનગર રાજપૂત સમાજની દિકરીની અનેરી સિદ્ધિ : Gold medal સાથે MBBS ડિગ્રી મેળવી
દેશ દેવી ન્યુઝ તા ૨૭ માર્ચ ૨૫ જામનગર નાં અને મૂળ ગામ દલતુંગી ગામ નાં રાજપૂત સમાજ નાં સુપુત્રી કૃપાક્ષીબા પ્રવિણસિંહ જાડેજા એ જામનગર એમ .પી. શાહ સરકારી મેડિકલ કોલેજ માં MBSS નો અભ્યાસ પૂર્ણ કરી ને ગોલ્ડ મેડલ સાથે ડોક્ટર બની ને ગામ અને પરિવાર માટે ગૌરવ પૂર્ણ ક્ષણ બની છે. કૃપાક્ષીબા એ પોતાના અભ્યાસ, મહેનત અને સંકલ્પબળના આધારે તેઓએ આ સિદ્ધિ મેળવી છે. તેમની સફળતાથી જાડેજા પરિવાર અને ગામલોકોમાં આનંદ અને ઉત્સાહ છવાયો છે.કૃપાક્ષીબાએ બાળપણથી જ શિક્ષણ પ્રત્યે જુસ્સો રાખ્યો હતો. ઉચ્ચ અભ્યાસ દરમિયાન તેમણે અનેક પડકારોનો સામનો કર્યો, પણ ક્યારેય હાર નહીં માની સતત મહેનત અને અભ્યાસની પ્રતિબદ્ધતા દ્વારા તેઓએ આજે ડોક્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. તેમના આચરણથી સમાજમાં એક પ્રેરણાદાયી ઉદાહરણ ઉભું થયું છે કે મહેનત અને સમર્પણથી દરેક સપનું સાકાર થઈ શકે.
કૃપાક્ષીબાની આ સિદ્ધિ પર પરિવારજનો અત્યંત ગૌરવ અનુભવતા જોવા મળી રહ્યા છે. તેમના માતા-પિતાએ જણાવ્યું કે તે બાળપણથી જ શિક્ષણમાં પ્રખર હતા અને આજે તેમના સપનાને હકીકતમાં પલટાવ્યું છે. સમગ્ર જાડેજા પરિવાર માટે આ એક અવિસ્મરણીય ક્ષણ છે.કૃપાક્ષીબાની આ સિદ્ધિથી આજના યુવા પેઢી માટે એક પ્રેરણા છે. શૈક્ષણિક યાત્રા કદી સરળ હોતી નથી, પણ મહેનત અને દ્વઢ નિશ્ચયથી અશક્ય કંઈ નથી. તેમના સફળતાની સફર દર્શાવે છે કે એક નાના ગામમાંથી પણ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય.
કૃપાક્ષીબા જાડેજા હવે એક નિષ્ણાત ડોક્ટર તરીકે સેવા આપવા માટે તૈયાર છે. તેમના ભવિષ્ય માટે ગામલોકો, પરિવાર અને સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓના ઉત્કૃષ્ટ કાર્ય દ્વારા લોકોના જીવનમાં બદલાવ લાવશે તેવી આશા છે.