લાલપુરના ભણગોર ગામે ‘દરબાર’ યુવાનને પોલિસમેન અને તેના પિતાએ વેતરી નાંખ્યો

0
16032

જામનગર નજીક ભણગોર ગામે વિરેન્દ્રસિંહ નામના દરબાર યુવાનની હત્યા

  • મૃતકના પરીવારે પોલીસમેન અને તેના પિતા સામે નોંધાવી ફરિયાદ :  ટેન્કરમાં પાણી ભરવા બાબત નું મનદુઃખ કારણભૂત
  • મૃતકના મોટાભાઈ અમદાવાદ PSI હોવાનું જાણવા મળી રહ્યું છે 
  • આરોપી :(૧) રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જગદિશસિંહ જાડેજા (૨) જગદિશસિંહ બાહાદુરસિંહ જાડેજા (૩)કુંદનસિંહ રામભા જાડેજા રહે બધા ભણગોર ગામ તા લાલપુર જી જામનગર 

દેશ દેવી ન્યુઝ તા.૨૫ નવેમ્બર ૨૩ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો તેમાં વિરેન્દ્રસિંહ જાડેજા નામના દરબાર યુવાન ઉપર પોલીસમેન અને તેના પિતાએ છરી વડે ગરદનના ભાગે જીવલેણ હુમલો કરતા દરબાર યુવાન લોહીલુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડ્યો હતો હુમલાના પગલે નાસભાગ મચી ગઈ હતીપોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતા વિરેન્દ્રસિંહ જાડેજાને તેજ ગામના પોલિસમેનનું દરબાર યુવાન સાથે નજીવી બાબતે મનદુખ ચાલતું હતું તેનું સમાધાન પણ થઈ ગયું હતું તેવામાં ગઇકાલ રાત્રીના વિરેન્દ્રસિંહ જાડેજા ગામમાં આવેલ ધનજીભાઈ ની દુકાને અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી તેવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલ પોલીસમેન અને તેના પિતાએ વિરેન્દ્રસિંહ જાડેજા ઉપર ગળાના ભાગે છરી વડે હુમલો કરતા યુવાન ત્યાજ ઢળી પડયો હતો.ઇજાગ્રસ્ત વિરેન્દ્રસિંહ જાડેજાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યા યુવાને ટૂકી સારવારમાં યુવાને દમ તોડતા બનવા હત્યામાં પલટાયો હતો બનાવની જાણના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ કોઈ અનિચ્છેય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો નાના એવા ગામમાં નજીવી બાબતે દરબારના હાથે દરબારની હત્યાને લઇ ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી હાલ તો પોલીસે મૃતદેહનો કબજો સંભાળી બોડીને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બોડીને રાત્રે પોસ્ટમોર્ટમ ખાતે લઇ આવતા રાજપૂત સમાજના આગેવાનો દોડી ગયા હતા લાલપુર  પોલીસે પ્રદયુમનસિંહ લાલુભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસમેન સહિત ત્રણ શખ્સો સામે IPC કલમ- ૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ PSI બી.બી.કોડીયાતર ચલાવી રહ્યા છે.