જામજોધપુરના નાની ભરડકીના પૂર્વ ઉપસરપંચની હત્યામાં સામસામી ફરિયાદ નોંધાઇ

0
624

જામજોધપુરના નાની ભરડકીના પૂર્વ ઉપસરપંચની હત્યામાં સામસામી ફરિયાદ નોંધાઇ

દિવાલ બાબતે ચાલતા કાંટુબીક ઝઘડામાં લોહી રેડાયું : યુવાનની હત્યા,ત્રણ ઘાયલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ડેનિશભાઈ જયંતીભાઈ સાગાણી, ઉ.વ.રર, રે. ભરડકી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.30-7-21 ના ભરડકી ગામે આરોપી રમેશભાઈ લખમણભાઈ સાગાણી એ પોતાના મકાનમાં પતરા નાખેલ હોય અને જે પતરા ફરીયાદી ડેનિશભાઈની મકાનની દિવાલને અડેલ હોય અને ફરીયાદી ડેનિશભાઈના મકાનની દિવાલે આ પતરાની સિમેન્ટનો વાટો કરેલ હોય જે વાટો કાઢી નાખવાનું તથા નવી દિવાલ ચણી લેવાનું કહેતા આરોપીઓ રમેશભાઈ લખમણભાઈ સાગાણી, સોહિલભાઈ રમેશભાઈ લખમણભાઈ સાગાણી, રે. ભરકડી ગામવાળા એ ભુંડી ગાળો કાઢી લોખંડની કોસ તથા લોખંડના સળીયા વડે ફરીયાદી ડેનીશભાઈના પિતા અને ગામના પુર્વ ઉપસરપંચ તેમજ વર્તમાન ગ્રામપંચાયતના સભ્ય જંયતીભાઈને માથામા લોખંડની કોસનો એક ઘા મારી મોત નિપજાવી તથા સાહેદ ગોવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા ફરીયાદી ડેનીશભાઈ તથા સાહેદને ઢીકાપાટુનો મારમારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનોમાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જયારે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ લખમણભાઈ સાગાણી, ઉ.વ.પપ, રે. ભરડકી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.30-7-ર1ના ફરીયાદી રમેશભાઈએ પોતાના મકાનમાં પતરા નાખેલ હોય અને જે પતરા આરોપી ડેનિશભાઈ જયંતીભાઈ સાગાણી ના મકાનની દિવાલને અડેલ હોય અને આરોપીઓ ડેનિશભાઈ જયંતિભાઈ સાગાણી, જયંતિભાઈ ધરમશીભાઈ સાગાણી, ગોવિંદભાઈ ધરમશીભાઈ સાગાણી, લાભુબેન ધરમશીભાઈ સાગાણી, રે. ભરડકી ગામવાળાના મકાનની દિવાલે આ પતરાની સીમેન્ટનો વાટો કરેલ હોય જે આ કામના આરોપીઓને પસંદ ન પડેલ હોય જેથી આ વાટો કાઢી નાખવા માટે તથા નોખી દિવાલ બનાવીને મકાન હટાવી લેવાનું કહેતા ફરીયાદી રમેશભાઈએ ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી રમેશભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી લાખંડનો કોસ તથા લાકડી વડે ફરીયાદી ડેનિશભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી લોખંડની કોસ તથા લાકડી વડે ફરીયાદી રમેશભાઈને તથા તેના પુત્ર સોહિલને શરીરે ઢીકાપાટુનો માર મારી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનોમાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.