જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન યોજાયું: બહોળી સંખ્યામાં કાર્યકરો પૂર્ણ ગણવેશમાં જોડાયા જુવો VIDEO

0
800

જામનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું, મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા

  • જામનગરમાં રવિવારે સતવારા સમાજની વાડી, ગુલાબનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું હતું. જેમાં અગ્યાર ઉપનગરના ૨૦૫ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતાં.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭. ઓક્ટોબર જામનગર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષો નગરનું પથ સંચનલ યોજવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સંઘના ૨oપ થી વધુ સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં જોડાઈ-દંડના પ્રયોગો, સામૂહિક સમતા, સૂર્યનમસ્કાર જેવા કાર્યક્રમો તથા જાહેર માર્ગ પરના પથ સંચાલનમાં ભાગ લીધો હતો. માર્ગ પર ઠેર ઠેર શહેરીજનો દ્વારા ભગવા ધ્વજનું ફૂલો વડે સ્વાગત કરાયું હતું.આ પ્રસંગ નિમિત્તે સંઘના જિલ્લા સંયોજક અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. સ્વયંસેવકોને વિજય, ક્ષમા અને તટસ્થ રહેવા માટે શક્તિશાળી હોવું જરૂરી છે. ભારત વિશ્વ ગુરૃની ભૂમિકા માટે વિશ્વને આ પોતાના ગુરુત્વાકર્ષણ વડે ખેંચી રાખે છે અને ભારતનું ગુરૃત્વ બિંદુ હિન્દુત્વ છે એવો સંદેશ મંચ પરથી કાર્યકરોને આપ્યો હતો