જામનગર જલાની જારની ગરબીમાં ‘ઈશ્વર વિવાહ’ યોજાયા:પૂર્વ કેબીનેટ મંત્રીએ છંદ ગાયા: જુવો VIDEO

0
1808

જામનગરમાં ત્રણ સદીઓથી પણ પ્રાચીન ‘જલાની જાર’ની ગરબીમાં ‘ઈશ્વર વિવાહ’ યોજાયા:પૂર્વ કેબીનેટ મંત્રીએ છંદ ગાયા

ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી, શહેર પ્રમુખ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર નિલેશ કગથરા , આકાશ બારડ સહિતના મહાનુભાવોએ હાજરી આપી ઈશ્વરના છંદ ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા 03 ઓક્ટોબર ૨૨ જામનગર શહેરની પ્રાચીન ‘જલાની જારની ગરબી’ કે જે ત્રણ સદીઓથી પણ વધુ સમયથી યોજાઈ રહી છે, જેમાં નવરાત્રિના આઠમાં નોરતે ભગવાન શિવજી અને માતા પાર્વતીજીના ઈશ્વર વિવાહ યોજાય છે. જે ગઈકાલ રાત્રે પંચેશ્વર ટાવર પાસેના જલાની જાર વિસ્તારમાં મોડી રાતે યોજાયા હતા. અને તેમાં અનેક ભાઈઓ અબોટિયું-ઝભ્ભા-ધોતીયું પહેરીને પરંપરાગત રીતે ઈશ્વરના છંદ ગાઇને રાસ લીધા હતા જેમાં શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.