જામનગરમાં મકાન વેંચી નાખવા બાબતે ખવાસ યુવાનને ભાઈ ભત્રીજાએ ઢીંબી નાખ્યો

0
2612

જામનગરમાં મકાન વેંચી નાખવા બાબતે ખવાસ યુવાનને ભાઈ ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ ઢીંબી નાખ્યો.

  • રાંદલનગરનું મકાન વેચી નાખવા બાબતનો ડખ્ખો કારણભૂત..

દેશ દેવી ન્યુઝ તા.૨૪ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના રામેશ્વર નગર પાછળ આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા કિશોર અનુભાઈ ચુડાસમા નામના ખવાસ યુવાન પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે તેમના ભાઈ, ભત્રીજા અને સાથે રહેલ વિજયસિંહએ ઉશ્કેરાઇ જઇ બોલાચાલી શરૂ કરી રાંદલનગરમાં આવેલ મકાન વેંચી નાખવા બાબતે ઢીકાપાટુનો માર માર્યો હતો.પ્રાપ્ત વિગત મુજબ રાંદલનગરમાં આવેલું એક મકાન થોડા સમય પહેલા કિશોરભાઈ ચુડાસમાએ વેચી નાખ્યું હતું તેથી આરોપીઓ ફરિયાદીના ઘરની બહાર આવી કિશોરભાઈને બોલાવી તે મકાન શુ કામ વેચી નાખ્યું તેમ કહી ડખો કર્યો હતો અને ભાઈ ભત્રીજા અને સાથે રહેલ વિજયસિંહે ખવાસ યુવાનને ડોકી પકડીને ધોકા વડે મુંઢ મારતા દેકારો થયો હતો બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને યુવાનને હોસ્પિટલ ખસેડયો હતો.

આ બનાવ અંગે કિશોરભાઈ ચુડાસમા દ્વારા રાત્રીના સીટીબી ડિવિઝનમાં શૈલેષ અનુભાઈ ચુડાસમા, પંકીત શૈલેષભાઈ ચુડાસમા અને વિજયસિંહ વિરુદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) , ૧૧૪ અને જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી