જામનગરમાં માંગણી સ્વીકારવાની માંગ સાથે સફાઈ કર્મીઓનું ચક્કાજામ: જુવો VIDEO

0
1408

જામનગરમાં સફાઈ કર્મીઓ તથા યુનિયને રસ્તા પર ધરણાં કરીચક્કાજામ કર્યો

  • માગણી રહી સ્વીકારાય તો દેહત્યાગની ચીમકી.
  • છેલ્લા ૧૭ દિવસથી આંદોલન ચલાવાઈ રહ્યું છે.
  • ૧૯ જેટલી માંગણીને લઇ ઘરણા ઉપર હતા.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ સપ્ટેમ્બર જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે મહાનગર પાલિકાના સફાઈ કામદારના વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઈને ચાલતા આંદોલનના 17 માં દિવસમાં પ્રવેશ્યું હતું. તેમનો પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાની ચીમકી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર યુનિયન દ્વારા આપવામાં આવી હતી.જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં તેની માગણીઓ મહાનગરપાલિકા દ્વારા નહીં સ્વીકારતા આંદોલનમાં બુધવારે વધુ સફાઈ કામદારો વધુ જોડાયા હતા સફાઈ કામદારોને થઈ રહેલા અન્યાય બાબતે પગાર સુધારો કરવા અને વારસદારોને નોકરીમાં સમાવેશ કરવા સહિતના મુદ્દે સફાઈ કામદારોના પ્રશ્નો માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર મેયર, ચેરમેનને પણ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે.આમ છતાં તેઓના પ્રશ્નો નો ઉકેલ કોઈ આવેલ નહિં. જેથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ઉપવાસ આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે તેમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મઝદુર સંઘના પ્રમુખ મહેશ બાબરીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.