જામનગરના ધુંવાવમાં હત્યા થયેલો અજાણી મહિલાનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો

0
1857

જામનગરના ધુવાવ નજીક ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસે અજાણી મહિલાનો નગ્ન મૃતદેહ મળી આવતા ખળભળાટ

  • પીએમ રીપોર્ટમાં માથાના ભાગે હેમરેજ થયાનું ખુલ્યું: બનાવ હત્યાનો : ગુનોં નોંધવાની તજવીજ
  • બદકામના ઇરાદે હત્યા કરી મૃતદેહને ફેંકી દેવાયો હોવાની આશંકા: શંકાસ્પદ વૃદ્ધને ઉઠાવી લીધાના હોવાનું ચર્ચાય રહ્યું છે.
  • હત્યાની આશંકા વચ્ચે મહિલાને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવતા તપાસનો ધમધમાટ
  • મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા દ્વારા લાશને પીએમ ખાતે ખસેડાઈ
  • ગ્રામ્ય ડીવાયએસપી કુણાલ દેસાઈ LCB તથા SOG સહિતનો પોલિસ કાફલો દોડી ગયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૪. સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના ધુવાવ નજીક આવેલ ધિંગેશ્વર મહાદેવના મંદિર પાસે અજાણી મહિલાની લાશ પડી હોવાના સમાચાર મળતા ગ્રામ્ય Dysp કુણાલ દેસાઈ, LCB અને SOG નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી અને મોક્ષ ફાઉન્ડેશન વિક્રમસિંહ ઝાલાના માધ્યમથી મૃતદેહને એમ.પી શાહ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને તેના મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.આ બનાવમાં મૃતક મહિલાના માથાના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા આથી પોલિસે હત્યાની આશંકા વચ્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધુવાવ નજીક આવેલ મંદિર પાસે અવાવરૂ જગ્યાએ મહિલા પહોંચી કેમ.? અને મહિલાને શરીરે ઇજાના નિશાન આવ્યા કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને શંકાસ્પદ વૃદ્ધને ઉઠાવી લીધાનું ચર્ચાય રહ્યું છે અને ફરીયાદની તજવીજ હાથ ધરાઇ રહી છે. હાલ તો આ મુદ્દો શહેરભરમાં સારી એવી ચર્ચા જગડી છે.