જામનગરમાં નિલગાયની ”ઉછળ કુદ” બની આકર્ષણનું કેન્દ્ર: જુવો VIDEO

0
2053

જામનગર શેહેરી વિસ્તારમાં નીલગાય ચડી આવતા કુતુહુલ ફેલાયું

  • નવાગામ ઘેડ પાછળ આવેલ વાડી વિસ્તારના હોવાનું કારણ.
  • છેલ્લાં બે દિવસથી ચારથી પાંચ નીલગાય (રોઝડું)ના ધામા: લોકો હરણ સમજી સેલ્ફી લેતા નજરે પડ્યા
  • ગ્રેડ-પે ના મુદે ફોરેસ્ટકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી આંદોલનના માર્ગે: 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં છેલ્લાં બે દિવસથી નીલગાયનું જુંડ ચડી આવતા કુતુહુલ ફેલાયું છે. લોકો હરણ સમજીને સેલ્ફી લેતા નજરે પડ્યા હતાપ્રાપ્ત વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નિલગાય (રોજડું) દેખા દેતા તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા નવાગામ ઘેડ પાછળ આવેલ નાગના ગામની વાડી વિસ્તાર વીડીમાં જોવા મળતી નીલગાય પોતાના જુંડથી વિખુટી પડી શહેરી વિસ્તારમાં ચડી આવી છે. જેને લઈ લોકોમાં કુતુહુલ ફેલાયું છે.આ નિલગાય શરમાળ અને ચંચળ સ્વભાવને કારણે મુખ્યત્વેરાત્રીના ભાગે સીમમાં વિસ્તારમાં જોવા મળે છે અને ઉભા પાકને એક રાતમાં નષ્ટ કરી દે છે પરંતુ કોઈ કારણસર ધાસચારાની શોધમાં શહેરમાં ચડી આવ્યું છે. ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ પોતાની અલગ અલગ માંગણીને લઈ આંદોલનના માર્ગે છે જેથી નીલગાયને પકડવું મુશ્કેલ થઈ રહ્યું છે.