દારૂડિયા પતિનું ઢીમ ઢાળી દેતી પત્નિ: ચારિત્ર્યની શંકા બની કારણભૂત

0
1900

કોઠાવિસોત્રી ગામે દારૂડિયા પતિનું ઢીમ ઢાળી દેતી પત્નિ.

  • શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો.
  • પત્નિ ઉપર ચારિત્ર્યની શંકા કરતા હત્યા થયાનો ખુલાસો
  • દેશ દેવી ન્યુઝે ગઇકાલે રહસ્યમયી મોત અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો

દેશ દેવી ન્યુઝ o૩ ઓગસ્ટ ૨૨ જામનગર: ખંભાળિયા તાલુકાના સલાયા પાસેના કોઠાવિસોત્રી ગામે એક વૃદ્ધનું તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા સાથે પોલીસે પેનલ પીએમ અર્થે જામનગર ખસેડયો હતો.પીએમ રીપોર્ટના આધારે આ વૃઘ્ધની હત્યા થયાનું જાણવા મળ્યું હતું, બાદમાં પોલીસ તપાસમાં પત્નિએ જ વૃઘ્ધ પતિનું ઢીમ ઢાળી દીધાનું જાણવા મળેલ છે. મૃતક લાલજીભાઈ રણછોડભાઈને દારૂ પીવાની ટેવ હોય અને પત્નિ ઉપર ચારિત્ર્યની શંકા કરતા હોય જેનાથી કંટાળી પત્નિએ જ પોતાના પતિની હત્યા કર્યાનું જાણવા મળેલ છે.આ પહેલાના અહેવાલ મુજબ, ખંભાળિયા તાલુકાના કોઠાવિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ (ઉ.વ.65) નામના વૃદ્ધ બપોરે તેમના ઘરેથી મૃત:પ્રાય હાલતમાં મળી આવ્યા હતા. જે બનાવની મૃતકના પરિજને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી હત્યાની આશંકા ઉઠતા તેને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.