જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

0
1929

જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલ LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મેળવનાર દેશની એકમાત્ર હોસ્પિટલ બની

LaQshyaપ્રોગ્રામ પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં સગર્ભા માતાઓને અપાતી સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની ચકાસણી કરે છે

જી.જી. હોસ્પિટલના પ્રસુતિ રૂમને ૯૭% તથા મેટરનિટી ઓપરેશન થીએટરને મળી ૯૨% ગુણવત્તા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઇ ૨૨ જામનગરની જી.જી. હોસ્પિટલના પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થિએટરમાં કેન્દ્ર સરકારનું LaQshyaપ્રોગ્રામ હેઠળનું રાષ્ટ્રીય લેવલનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૧૦-૫-૨૦૨૨ અને તા.૧૧-૫-૨૦૨૨ના રોજ દિલ્હીથી આવેલ ટીમ દ્વારા ગાયનેક વિભાગના પ્રસુતિ રૂમ અને ઓપરેશન થીએટરમાં વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. આ ઇન્સ્પેક્શનના રિપોર્ટ મુજબ LaQshya પ્રોગ્રામ હેઠળ જી.જી. હોસ્પિટલ અને  એમ.પી.શાહ મેડિકલ કોલેજને લક્ષ્યનું નેશનલ લેવલનું રી-સર્ટીફિકેશન મળ્યું છે. આ પ્રકારે સતત બીજી વખત સર્ટિફિકેશન મેળવનાર ભારતની એકમાત્ર જામનગરની જી.જી. હોસ્પિટલ છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલએ સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મે-૨૦૨૨ માં લેબરરૂમ (પ્રસુતિ વિભાગ) અને મેટરનિટી ઓપરેશન થિયેટરનું લક્ષ્યનું નેશનલ લેવલનું ઇન્સ્પેક્શન હતું.LaQshyaનો ઉદ્દેશ પ્રસુતિ વિભાગ અને મેટરનિટી ઓપરેશન થીએટરમાં સગર્ભામાતાઓને અપાતી તમામ સેવાઓ તથા સારવારની ગુણવત્તા તેમજ તેની સુદ્ઢતાની ચકાસણી માટેનો છે.

ગાયનેક વિભાગના વડા ડો.નલિની આનંદએ જણાવ્યું હતું કે, આ ઇન્સ્પેશન માટે દિલ્હી ખાતેથી ટીમ આવી હતી. અને જી.જી. હોસ્પિટલના પ્રસુતિરૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટરમાં ખુબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ તપાસના રિપોર્ટમાં પ્રસુતિ વિભાગની ગુણવત્તા ૯૭% અને મેટરનિટી ઓપરેશન થિયેટરની ગુણવત્તા ૯૨% છે. જે અંતર્ગત હોસ્પિટલને LaQshyaપ્રોગ્રામ હેઠળ રી-સર્ટિફિકેશન મળ્યું છે. આ અગાઉ વર્ષ ૨૦૧૭માં પ્રસુતિ વિભાગની ગુણવત્તા તેમજ સુદ્ઢતાની તપાસ કરવામાં આવી હતી ત્યારે પ્રથમ વખત સર્ટિફિકેટ મળ્યું હતું.LaQshyaપ્રોગ્રામ હેઠળ બનાવેલી ટીમ દ્વારા ડોક્યુમેન્ટેશન, દર્દીઓના રીવ્યુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને લેબોરેટરીના સાધનોની ચકાસણીના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેના આધારે ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ રિપોર્ટ ગાયનેક વિભાગ તેમજ જી.જી. હોસ્પિટલ અને સમગ્ર જામનગર માટે ગૌરવની વાત છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દ્વારા ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ LaQshyaપ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. LaQshyaનો ઉદ્દેશ્ય પ્રસુતિ રૂમ અને મેટરનિટી ઓપરેશન થિયેટર (OT)માં સંભાળની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. તેમજ માતૃત્વ અને નવજાત શિશુની બિમારી અને મૃત્યુદરમાં ઘટાડો, ડિલિવરી અને તાત્કાલિક પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન સંભાળની ગુણવત્તામાં સુધારો, લાભાર્થીઓનો સંતોષ વધારવો, સકારાત્મક પ્રસૂતિ અનુભવ અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં હાજરી આપતી તમામ સગર્ભા સ્ત્રીઓને આદરણીય પ્રસૂતિ સંભાળ (RMC) પ્રદાન કરવાનો છે.