સરકારની મનાઈ છતાં ઘરની ધોરાજી: 3 આર્ચાયની બદલી: વિવાદ વકર્યો.

0
1017

લાગતા વળગતાને ગોઠવ્યા બાદ વધુ ૩ આચાર્યની બદલી કરતા વિવાદ:  શિક્ષણ સમિતિમાં વહીવટ કેવો ચાલે છે તે વાત પુરવાર થઇ છે.

પ્રવાસી શિક્ષકોની ભરતી રદ કરો : શિક્ષણમંત્રીને લખ્યો પત્ર: વિપક્ષી નેતા આનંદ રાઠોડનગર શિક્ષણ સમિતીના પૂર્વ સભ્ય નિતીન માડમે ભરતી મુદે ૧૪ મુદાની સણસણની RTI કરતા દોડા દોડી.ભાજપના એક ઉચ્ચ પદ પર બેઠેલા પદાધિકારી સગા ગણાતા આચાર્યની બે વખત બદલી કરવામાં આવી છે. કાગળ ઉપર કળા જેમાં પામેલ દીપા મહેતા નામના આચાર્યને 19 નંબરની શાળામાંથી પહેલા 24 નંબરની શાળામાં મૂકવામાં આવ્યા જે પછી બે દિવસ બાદ જ 24 નંબરમાંથી તેની બદલી કરી ફરીથી 30 નંબરની શાળામાં મૂકવામાં આવ્યા હતા વારે-વા ડિંડક..

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જુલાઇ ૨૨ જામનગર મહાનગ રપાલિકાની શિક્ષણ સમીતીએ કરેલ ૨૯ પ્રવાસી શિક્ષકોની ભરતીનું ભૂત હજુ સમ્યું નથી ત્યા નવું ગતકડું જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 29 પ્રવાસી શિક્ષકોને નિયમો ચાતરીને ભરતી કરવાનું પ્રકરણ ગાજી રહ્યું છે તેના વચ્ચે સરકારના નિયમોનો ઉલાળીયો કરી ત્રણ આચાર્યોને બદલી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

સરકારની મનાઈ હોવા છતા આચાર્ય ને બદલી કરતા શિક્ષણ સમિતિ હવે ઘરની સમિતિ બની ગયું હો હોય કેવી રીતે કામકાજ કરી રહી છે.જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સરકાર દ્વારા એચટીએટી આચાર્યોની બદલીઓની સરકારમાંથી કોર્ટ કેસ ચાલતો હોવાથી મનાય છે અને અનિવાર્ય સંજોગોમાં બદલી કરવી હોય તો નિયામકની મંજૂરી લઈને જ તેની બદલી કરી શકાય છે , પરંતુ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિત્તિને જાણે આ નિયમો લાગુ પડતા નથી તેમ તેને ત્રણ આચાર્યોની મંજૂરીની અપેક્ષાએ બધું કરી નાખતા શિક્ષણ જગતમાં સારી એવી ચર્ચા જાગી છે પોતાના વ્હાલા દવલાને સાચવવા તેમજ અન્યના હિસાબ – કિતાબ કરવા બદલીઓ થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે .