રાજ્યના 110 મામલતદારોની બઢતી સાથે બદલી: જામનગરના હરદીપસિંહ જાડેજા મામલતદાર તરીકે અમદાવાદ મુકાયા

0
1956

રાજ્ય સરકારે આપ્યા 110 મામલતદારોની બદલીના આદેશ

40 ડેપ્યુટી મામલતદારોની બઢતી સાથે બદલી કરાઈ, આ રહ્યું આખું લિસ્ટ

જામનગર ગ્રામ્ય, જોડિયા, કાલાવડ, ધ્રોલના મામતલદારોની બદલી :જામનગરના ડે.મામલતદાર હરદીપસિંહ જાડેજા સહિત બે ની બઢતી સાથે બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110 જેટલા મામલતદારોની અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ 40 જેટલા ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારોને બઢતી સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.જોડિયાના મામલતદાર ડી.ડી.પરમારની પાટણ (શહેર) ખાતે બદલી જામનગર ગ્રામ્યના મામતલતદાર ડી.એમ.બગસરીયાની સુરતના મજુરા ખાતે બદલી ભાવનગરના વલભીપુરના માલતદાર બી.ટી સવસાણીની જામનગર ગ્રામ્યમાં બદલીકાલાવડના મામલતદાર એમ.પી.કટીરાની સુરેન્દ્રનગરના સાયલા ખાતે બદલી ધ્રોલના મામતલદાર બી.એન કણઝારીયાની ભાવનગરના વલભીપુર ખાતે બદલી જામનગરના ડે.મામલતદાર વીક્રમ વરૂની દ્વારકાના ઓખામંડળમાં માલતદાર તરીકે બઢતી સાથે બદલીમૂળ ગામ ધ્રાફા અને હાલ જામનગર ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા હરદીપસિંહ જાડેજાની અમદાવાદ શહેરના વેજલપુર ખાતે માલતદાર તરીકે બઢતી સાથે બદલી