જામનગર મહાનગરપાલિકાએ કર્યું અક્કલનું પ્રદર્શન..? સ્વસ્તિક સોસાયટીમાં આવેલ બગીચામાં બનાવ્યા ૨- મહાકાય સોસિયા કુવા : નિર્કદન

0
210

જામનગર મહાનગરપાલિકાએ કર્યું અક્કલનું પ્રદર્શન..? સ્વસ્તિક સોસાયટીમાં આવેલ બગીચામાં બનાવ્યા ૨- મહાકાય સોસિયા કુવા : નિર્કદન

જામનગર શહેરના સ્વસ્તિક સોસાયટી માં આવેલ જામનગર મહાનગરપાલિકા હસ્તક ના ગાર્ડનમાં સોસીયા કુવા બની જતા આશ્ચર્ય ફેલાયું છે.

જામનગર શહેરના પોશ ગણાતા એવા સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં આવેલ મહાનગરપાલીકા હસ્તકના બગીચામાં નિર્કદન કાઢી નાખવાના સમ ખાધા હોય તેમ ખુદ મનપાએ ધોર ખોદી નાખી છે.

આંધળું શહેરીકરણ કારણે હાલના સમયમાં બાળકો તેમજ વૃદ્ધો માટે બાગ બગીચા કે રમત ગમત નું મેદાન રહ્યા નથી નવા બાગ બગીચાનું કોઈ આયોજન નથી.

સોસાયટીમાં જે  કોમન પ્લોટ આવેલા છે તેનો હક્ક માત્ર સોસાયટીનો છે. તેમા પણ બિલ્ડરે કબ્જા કરી લીધા છે આવા દબાળ દુર કરવાની મનપા પાસે કોઈ સતા નથી.! એવું ખુદ મનપાના અધીકારી ગાણું ગાય છે.

નાના નાના બાળકો ઘરઆંગણે રમી શકે તે માટેની જગ્યાની રહી નથી.

તેમા વહી સ્વસ્તિક સોસાયટી માં આવેલ બગીચામાં  ”બે”  મહાકાય સોસયા કુવા બનાવી નાખતા આશ્ચર્ય ફેલાયું છે.

ગત વર્ષે ભારી વરસાદના કારણે પોશ ગણાતા એવા સ્વસ્તિક સોસાયટીમાં કેળ-કેળ પાણી ભરાઇ જતા મનપાના અધિકારી – સ્ટાફ ધંધે લાગી ગયા હતા ચાલું વરસાદે પીદી લેવાઈ ગઈ હતી અને મનપાના ઉચ્ચ અધિકારી રાજકીય ઠપકાનો ભોગ પણ બનેલા.!

જામનગરના આ પોશ વિરતારમાં ભૂગર્ભ ગટરનું બાળ મરણ થયું છે.
ગટર માત્ર કાગળ પર રહી છે.
જામનગર મહાનગરપાલિકાની અણઆવડત ના વખાણ કરી એટલા ઓછા છે હમેશા ને માટે કોઇને કોઇ કારણસર વિવાદમાં ધેરાયેલી મનપાએ વિવાદનો નવો મધપુડો છેડયો છે.

<span;>કુંવાના મુદે દેશદેવી ન્યુઝે ગાર્ડન શાખાના કિશોર ચોહાણ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે.તેથી વરસાદના પાણીને આ સોસીયા કુંવા મારફત સ્ટોર કરી કંડીના બોર ચાર્જ કરવામાં આવશે.તેવો લુલ્લો બચાવ કરી ચાલતી પકડી.

જામનગર મહાનગરપાલિકા ને જામનગરની પ્રજા એટલી ચિંતા હોય તો પછી શહેરમાં અન્ય જગ્યાએ કેમ કંકીના બોર  સાંજા કરવાનો વિચાર કેમ “ન” આવ્યો

હાલ આ બગીચાના કુવા એ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે .