જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આકરી કાર્યવાહી : શહેરમાં વધુ 12 મિલકત સીલ : વેરો ન ભરનારમાં ફફડાટ

0
116

‘જામ્યુકો’ મિલકત વેરા શાખાની આકરી કાર્યવાહી: શહેરમાં વધુ 12 મિલકત સીલ

જામનગર.

જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા તા.31-3-2020 સુધીનો મિલકત વેરો ન ભરનાર મિલ્કતધારકોને નિયમાનુસા વોરંટ તથા અનુસુચિની બજવણી તેમજ વારંવાર રૂબરૂ જણાવવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર બાકીદારોની ગત સપ્તાહ દરમ્યાન કુલ-12 (બાર) મિલકતોને જપ્તી લેવામાં આવેલ છે.

તેમજ સ્થળ ઉપરથી રૂા.87.41.330ની વસુલાત કરવામાં આવેલ છે. જયારે ચાલુ નાણાકીય વર્ષ 2020/21 સુધીમાં કુલ રૂા.56.51 કરોડની વસુલાત કરાઇ છે. ઉપરોકત્ત રીકવરી કામગીરી મ્યુનિ. કમિશ્ર્નરની સુચનાથી આસી. કમિશ્ર્નર (ટેક્સ) જીજ્ઞેશભાઇ નિર્મલ, ટેકસ ઓફીસર જી.જે.નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય તો જે આસામીઓએે બાકી મિલકત વેરો ન ભરેલ હોય તે ભરી દેવા તાકીદ કરાઇ છે.

મિલ્કતધારકનું નામ

(1)શ્રીનાથજી બિલ્ડવેલ, 8/0. રાજેન્દ્ર એ. ઠકરાર, જામનગર.

(ર)લક્ષ્મીદાસ સવજી,નાગનાથ ગેઇટ, ભોજવાણી બિલ્ડીંગ,જામનગર.

(3)કુકરૂદીન તૈયબઅલી વિ., ભાડુઆત-બિપિનચંદ્ર જયંતિલાલ સીમરીયા, ગ્રેઇન માર્કેટ, જામનગર.

(4) આદીનારાયણ વિરાન, બેડેશ્ર્વર-જામગનર.

(5) ચંચળબેન ધીરજલાલ શારડા તરૂલતા નીતા, ભાડુઆત-કહાન કમ્પ્યુટર ક્ધસલ્ટન્સી, સેક્ધડ ફલોર, એફ 1-4, ન્યુ સુપર માર્કેટ, જામનગર.

(6)દેવજી કારા ખીમસુર્યા,ભીમવાસ-1, જામનગર.

(7)મઘુકર ભરતકુમાર, ભાડુઆત-ઘીરજલાલ એન્ડ કંપની, ગ્રેઇન માર્કેટ, ચેમ્બર રોડ, જામનગર

(8) ભાડુઆત-સ્વસ્તિક ક્ધસ્ટ્રકશન, પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે, જામનગર.

(9) શ્રીનાથજી બિલ્ડવેલ, 8/0. રાજેન્દ્ર એ. ઠકરાર, ઇન્દ્રપ્રસ્થ, શોપ નં.334, પંચેશ્વર ટાવર રોડ, જામનગર,

(10) ભાડુઆત-કાનાભાઇ એચ. કંડોરીયા, પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે, જામનગર.

(11) ભાડુઆત-મયુર ટાઇમ્સ, ભાડુઆત

(12)જયોતિ ઇલે.પંચમુખી શોપીંગ સેન્ટર, અંબર ટોકીઝ પાસે,જામનગર.