હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળોને લઇને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન

0
1291

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળોને લઇને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન

હાર્દિક અમારો સંપર્ક કર્યો નથીઃ પ્રદીપસિંહ વાઘેલા

દેશ દેવી ન્યુઝ જામનગર 23. ભાજપના મહામંત્રીએ હાર્દિક પટેલ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હાર્દિક પટેલે ભાજપનો સંપર્ક કર્યો નથી. એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. અમે પણ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો નથી. મહત્વનું છે કે ચૂંટણી પહેલાની આ રાજનીતિ છે પડ્યા બોલ ઝીલવાએ અશક્ય વસ્તુ છે.અંદરખાને થતાં સેટિંગને કોઈ પણ પાર્ટી સપૂર્ણ રીતે ઉજાગર કરતી નથી. એક તરફ ખાસ સૂત્રો કહી રહ્યા છે કે હાર્દિક ભાજપમાં જોડાય તેવી શક્યતા 70% છે જ્યારે આપમાં જોડાય તેવી સંભાવના 30% છે ત્યારે અંદરખાને શું ખિચડી રંધાય છે એતો આવનાર સમયમાં ખબર પડશે.