જામનગરના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કે.ડી પારેખ અને તેના બે પુત્રો સહિત 8 સામે પટેલ મહિલાએ નોંધાવી ‘૩૦૬’

0
3148

આપધાત કરવા મજબૂર કરનાર ૮ વ્હાઈટ કોલર વ્યાજખોર સામે પોલીસ ફરીયાદ

જામનગરમાં હરીયા કોલેજ પાસે રહેતા પટેલ મહિલાઓ ૮ શખ્સ સામે જમીન, પૈસા, દાગીના પચાવી પાડવા સબબ નોંધાવી ફરીયાદ

આરોપી:- ( ૧ ) કૌશીક દેવીદાસ પારેખ ( કે.ડી.પારેખ રહે . સ્વસ્તીક સોસાયટી જામનગર તથા ( ૨ ) ચીરાગ કૌશીક પારેખ તથા ( ૩ ) દર્શક કૌશીક પારેખ બંને જોધપુર ચાર રસ્તા અમદાવાદ ( ૪ ) રમેશભાઈ માધવજીભાઈ મોલીયા રહે.રધુવીર સોસાયટી – ર સુમેર કલબ રોડ જામનગર તથા ( ૫ ) શૈલેષ છગનભાઈ સભાયા રહે.શાંતીનગર શેરી નં -૨ જેકુરબેન સ્કુલ પાસે જામનગર તથા ( ૬ ) મહેન્દ્રસિંહ બી ચાવડા રહે . ન્યુ જામનગર ખંભાળીયા બાયપાસ રોડ જામનગર ( ૭ ) કીર્તીસિંહ કે જાડેજા રહે.જામનગર ( ૮ ) કીરીટભાઈ સોની રહે. ચાંદીબજાર રહે.જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર ૧૨. શહેરના હરીયા કોલેજ પાસે કૈલાશનગર શેરી નં-૪ માં રહેતા ગીતાબેન સંઘાણીના પતિએ ગત તારીખ ૨૮- ૧-૨૨૨ના રોજ કનસુમરા ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી જીદંગી ટુકાવી હતી છતાં લેણદારના ત્રાસથી કંટાળી જઈ મહિલાઓ ૮ શખ્સો સામે મરીજવા મજબૂર સહિતની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામેલ.

સુત્રોમાથી પ્રાપ્ય વિગત મુજબ ડોઢ મહિના પહેલા જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી નામના પટેલે આર્થિક સંકડામણથી કનસુમરા રેલ્વે ફાટક નજીક પડતું મૂકી આત્મહત્યા કરી હતી પરંત લેણદારદાર દ્વારા વારંવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતીતેમાના  કૌશીક દેવીદાસ પારેખ ( કે.ડી.પારેખ ) રહે . સ્વસ્તીક સોસાયટી જામનગર વાળા પાસે આ કામેના મરણજનારને છેલ્લા પંદરેક વર્ષ દરમ્યાન તેઓને આપેલ અંદાજે સાત થી આઠ કરોડ રૂપીયા માંગતા હોય જે રૂપીયા નહી આપવા માટે મરણજનારને દબાણ હેઠળ રાખી માનસિક ત્રાસ આપી વાયદાઓ આપતા હોય તેમજ  કૌશિક પારેખના બંને પુત્રો ચીરાગ તથા દર્શક  હોય અને તેઓ પોતાના પિતા પાસેથી આ કામેના મરણજનારને રૂપીયા નહી માગવા માટે ફોન પર ધમકીઓ આપી હતીરમેશભાઈ માધવજીભાઈ મોલીયા, શૈલેષ છગનભાઈ સભાયા,મહેન્દ્રસિંહ બી ચાવડા તથા ,કીર્તીસિંહ કે જાડેજાએ જેન્તીભાઈ પટેલને  ઉંચા વ્યાજે રકમ આપી અને તેની રકમ આપી દીધા બાદ વ્યાજ સહીતની રૂપીયાની ઉઘરાણી કરી દબાણ કરતા હોય

તેમજ આરોપી શૈલેષભાઈએ વ્યાજની ઉઘરાણી માટે મરણજનારની ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધેલ તેમજ આરોપી કીરીટભાઈ સોનીએ મરણજનારના ઘરનુ સોનુ ઉંચા વ્યાજે જમા રાખી તમામ આરોપીઓએ મરણજનારને રૂપીયાની ઉઘરાણી માટે ધાક ધમકી તથા દબાણ આપી મરણજનારને માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મરણજનાર ટ્રેનમા નીચે કપાઈ જતા આત્મહત્યા કરેલઆથી પોલીસે ગીતાબેન વલ્લભભાઈ સંઘાણીની ફરીયાદ પરથી IPC- કલમ -૩૦૬,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા ધ ગુજરાત મની લેડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૫,૩૩,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ પંચ-બીના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે.હાલ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.