ગીર સોમનાથમાં યુવતી પર જીવલેણ હુમલા પ્રકરણમાં જામનગર બ્રહ્મસમાજ લાલધૂમ

0
724

ગીર સોમનાથમાં યુવતી પર જીવલેણ હુમલા પ્રકરણમાં જામનગરમાં બ્રહ્મસમાજે આપ્યું આવેદનપત્ર

દેશ દેવી ન્યુઝ જામનગર 25. ગીર–સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં બ્રહ્મ સમાજ ના ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી ની વહાલસોઈ પુત્રી તેજસ્વી ભાવેશભાઈ જોષી પીડીત ના ઘરે તા. ૨૧–૦૨–૨૦૨૨ ના રોજ સાંજ ના સમયે પૂર્વઆયોજીત કાવતરૂ ઘડી છરી,હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી છરી થી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની પ્રયાસ ને અનુલક્ષી ને આરોપી સામે તથા આરોપી ને મદદ કરી રહેલ ઈસમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા અંગે અને તેજસ્વી ભાવેશભાઈ જોષીને જાન થી મારીનાખવા ના ગેરકાનૂની પ્રયાસ અન્વયે રક્ષણ મેળવવા અંગે તથા ગુંડાઓના ત્રાસથી મુકત કરવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે..

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી ની વહાલસોઈ પુત્રી તેજસ્વી ભાવેશભાઈ જોષી પીડીત ના ધરે આરોપી યશ બિપીન કારીયા ધ્વારા તા. ૨૧-૦૨-૨૦૨૨ ના રોજ સાંજ ના સમયે પૂર્વઆયોજીત કાવતરૂ ઘડી છરી,હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી તેજસ્વી ભાવેશભાઈ જોષીને જાનથી મારી નાંખવાના બદઈરાદાથી તેના ઘરે એસીડ, હથોડી તથા છરી જેવા તીક્ષ્ણ હથીયારો તથા એસીડ જેવા ભયંકર ખતરનાક કેમીકલ લઈ તેજસ્વી ભાવેશભાઈ જોષી ને જાનથી મારી નાખવાના બદઈરાદા થી તેણીના માતા–પિતા બજાર મા ઘર ની સામગ્રી ખરીદવા ગયેલ છે તેની જાણકારી મેળવી બાદ આરોપી યશ બિપીન કારીયા નામના આરોપીએ તેજસ્વી ભાવેશભાઈ જોષી ઉપર છરી થી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની રીઢા ગુનેગાર તરીકે ની મોડસ ઓપરેન્ડી મુજબનો કરેલ ખૂની પ્રયાસને અનુલક્ષીને આરોપી સામે તથા આરોપીને મદદ કરી રહેલ ઈસમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા અંગે અને તેજસ્વી ભાવેશભાઈ જોષી ને જાન થી મારીનાખવા ના ગેરકાનૂની પ્રયાસ અન્વયે રક્ષણ મેળવવા અંગે તથા ગુંડાઓના ત્રાસથી મુકત કરાવવા તથા છેલ્લા આશરે દોઢ બે માસથી રાજયમાં છાસવારે બનતા આવા હિચકારા હમલાઓ અટકાવવા અને અમલમા રહેલા કાયદાઓ અને નિયમોની ધાક બેસાડવા અને ભવિષ્યમાં આ કોઈ ગંભીર ગુના ના બને તેવી દાખલા રૂપ કાર્યવાહી કરવા અંગે અને ન્યાય મળવા અમારી માંગ છે.

વધુમાં આરોપી યશ બિપીન કારીયા એ આ બનાવને આયોજન કરતા અગાઉ આ બનાવના આયોજન માટે કોનો સંપર્ક કરી, કોની મદદગારી મેળવી અને કોના સહકારથી આ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ને પાર પાડેલ, ત્યારબાદ આ બનાવ ને અંજામ આપ્યા બાદ આરોપીએ કોના સંપર્ક રાખી કાયદાથી બચવા માટેના નાપાક પ્રયાસો કરવામાં આવેલ છે. તે તમામ પાસાઓની ઝીણવટભરી અને તટસ્થ અને બીનરાજકીય તપાસ થવી જરૂરી છે.

પીડીના તેજસ્વી ભાવેશભાઈ જોષી સાથે બનેલ આ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ને સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ શબ્દ શબ્દો મા વખોડી કાઢેલ છે અને સમસ્ત બ્રહ્મ સમાજ ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી તથા તેમની અને સમસ્ત બ્રહ્મ સમાજ ની દિકરી તેજસ્વી ભાવેશ જોષી ની પડખે તેઓને ન્યાય મળે ત્યાં સુધી સાથે છે અને રહેશે. પીડીતા તેજસ્વી ભાવેશભાઈ જોષી ઉપર થયેલા હિચકારા ખૂની હુમલા ને અનુલક્ષી ને ને આરોપી સામે જાહેર જનતા મા વિશ્વાસ બેસે તથા ગુન્હીત માનસીકતા ઘરાવતા અસામાજીક તત્વોમા ફફડાટ થાય તે પ્રમાણે પોલીસ તપાસ થવી ખૂબજ જરૂરી છે

જામનગર શહેર જિલ્લા બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ વાસુ, આશિષ જોષી, એન.ડી ત્રિવેદી, જસ્મીન ધોળકીયા, હિરેન કનૈયા, નયનભાઈ વ્યાસ, ભાસ્કર જોષી, જનક ખેતિયા, વિમલ જોષી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તીબેન ખેતિયા સહિતના આગેવાનો જોડાયા હતા.