જામનગર મહાનગર પાલિકાની બ્રાન્ચના બેંક મેનેજરે આચર્યું ૭૪ લાખનું કૌભાંડ.

0
2805

જામનગર મહાનગર પાલિકાની બ્રાન્ચના બેંક મેનેજરે આચર્યું ૭૪ લાખનું કૌભાંડ.

આરોપી :- દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે – ફ્લેટ નં .૩૦૧ , શ્રી રેસીડેન્સી , આનંદ કોલોની , પટેલ કોલોની જામનગર તથા ( ૨ ) દર્શન હસમુખભાઇ મણીયાર રહે – રાજપાર્ક પાસે , રાધે ક્રિષ્ના પાર્ક , પ્લોટ નં .૫૬ , રીલાઇન્સ પેટ્રોલ પંપ પાછળ , જામનગર

 દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગર શહેરની મનપામાં બ્રાન્ચ દશરથસિંહ જાડેજા યુનીયન બેન્ક જેએમસી બ્રાન્ચ જામનગરના બેન્ક મેનજર હોય જેણે પોતાના બેન્ક મૅજર તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી આ કામના ફરી તથા સાહેદોને વિશ્વાસમા લઇ દર્શન મણીયાર સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી તેમજ દર્શન મણીયારે તેમની પેઢીના નામનુ ખોટુ કોટેશન બનાવી આપેલ અને દશરથસિંહએ ડોક્યુમેન્ટુ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી તથા સાહેદોના નામે કુલ રૂ .૭૪,૨૫,૦૦૦ / ની લોન મંજુર કરાવી લિધેલ હોયતે લોન માથી દર્શન મણીયારને કમીશન આપેલ અને મંજુર થયેલ લોન પૈકી રૂ .૪,૬૦,૦૦૦ / રૂપીયા અલગ અલગ સાહેદોને પરત આપેલ અને બાકીના રૂ. ૬૯,૭૫,૦૦૦ / -રૂપીયા પોતાના અંગત ફાયદા સારૂ હડપ કરી વિશ્વાસધાત આચરેલ.આથી પોલિસે કાવતરું બોગસ ડોક્યુમેન્ટ સહિતની ક્લમ હેઠળ lPC કલમ- ૪૦૬, ૪૨૦, ૪૬૫,૪૬૭, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાઇબર ક્રાઇમના પો.ઇન્સ ચલાવી રહ્યા છે.હાલ આ મુદે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.