જામનગરમાં લોખંડના વેપારીને “ચેક રીર્ટન” કેસમાં સજા ફટકારતી કોર્ટ.

0
1336

લોખંડના વેપારીને ચેક રીર્ટનના કેસમાં સજાનો હુકમ ફરમાવતી કોર્ટ.

જામનગરના સિનીયર એડવોકેટ જયેન્દ્રસિંહ ઝાલાની ધારદાર દલીલ માન્ય રાખતી કોર્ટ.દેશ દેવી ન્યુઝ જામનગર. 11 ચેક રીર્ટનના કેસમાં અદાલતે આરોપી સજા ફટકારી હતી આ કેસ ની હકીકત એવી છે કે , આ કામના ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડા અને આ કામના આરોપી પ્રાગજીભાઈ માવજીભાઈ કવાને ફરીયાદી સાથે ઓળખાણ , પરીચય અને સંબંધ હોય જેથી ધંધાકીય સબબ નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા આ કામના ફરીયાદી પાસેથી હાથ ઉછીની રકમ રૂ .૧,૮૦,૦૦૦ / – લીધેલા હતા. અને આ રકમની પરત ચુકવણી કરવા માટે યુ.ટી.આઈ બેંક જામનગર શાખાનો રૂ।.૧,૮૦,૦૦૦ / – નો ચેક આપેલ હોય અને ચેક પાકતી તારીખે પાસ થઈ જશે અને ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે તેવી સ્પષ્ટ બાહેંધરી આપેલી હતી .જેથી ફરીયાદી જીગ્નેશભાઈ દ્રારા આરોપીની સુચના મુજબ ચેક તેમની બેંકમાં રજુ કરતા “ ફંડ્સ ઇનસફીશ્ચંન્દ્ ” ના શેરા પરત ફરેલ હોય અને આ કામના ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડાને તેમની કાયદેસરની રકમ મળેલ ન હોય , અને પોતાના નાણા પરત મેળવવા માટે આ કામના ફરીયાદી દ્વારા આરોપીને લીગલ નોટીસ મોકલાવેલ જેની પણ દરકાર લીધેલ નહી . જેથી નાછુટકે આ કામના ફરીયાદી દ્વારા પોતાની લેણી રકમ પરત મેળવવા જામનગર ની કોર્ટમાં ફરિયાદી દ્રારા આરોપી વિરુદ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમે એકટની કલમ -૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હોય .જે નામદાર કોર્ટમા ચાલી જતા આ ચેક રીર્ટનની ફરિયાદ સમય મર્યાદામાં કાયદેસરની અને સાચી હોય અને ફરિયાદપક્ષ દ્રારા રજુ કરવામાં આવેલ પુરાવાઓ તથા સમગ્ર ટ્રાયલ ધ્યાને લઇ જામનગરની નામદાર કોર્ટે આ કામના આરોપી પ્રાગજીભાઈ માવજીભાઈ કવાને તકસીરવાર ઠરાવીને ત્રણ માસની સજા તથા રૂ.૧,૮૦,૦૦૦ / – નો દંડ ચૂકવી આપવાનો અને જો દંડની રકમ ન ભરે તો વધુ પંદર દિવસની કેદની સજાનો હુકમ ફરમાવેલ હોય અને ફરીયાદીને ન્યાય આપેલ છે.આ કામે ફરીયાદી જીગ્નેશભાઈ મગનભાઈ ચાવડા તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા તથા હાઇકોર્ટના એડવોકેટ નિરલભાઈ ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા તથા સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતા.