જામનગર જિલ્લાના 28 પોલીસકર્મીની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા: SOG ના દોલુભા જાડેજા LCB માં મુકાયા..

0
2927

જામનગરના 28 પોલીસકર્મીની આંતરિક બદલી કરતાં જિલ્લા પોલીસ વડા SOG ના દોલુભા જાડેજા LCB માં મુકાયા.. જામનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પોડેય દ્વારા ૨૮ પોલીસકર્મીઓની આંતરિક બદલી ના હુકમો કર્યાં છે. જેમા કાલાવડથી શોભરાજ સિંહ જાડેજાને એ.ઓ.જી માં મૂકવામાં આવ્યા જ્યારે એસ.ઓ.જી ના દોલતસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઇ મેરામભાઇ ડેરવાળીયા LCB માં મુકવામાં આવતા પોલીસમાં હરખની હેલી.. સીટી -બીના એસ એમ જાડેજા તથા કિશોર પરમાર LCB માં મુકવામાં આવ્યા છે. દેશ દેવી ન્યુઝ O2 જ્યારે પરેશ અમૃતલાલ ખાણધર નાઓ હેડકવાટર ખાતે હાજર થયે તેઓને ક્રમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જામનગર ખાતે તથા અ.નં .૧૭  વાળા અનાર્મ હે.કો.  દોલતસિંહ હેમતસિંહ જાડેજા નાઓ સીટી – બી પો.સ્ટે ખાતે હાજર થયે તેઓને એલ.સી.બી , જામનગર ખાતે તથા અ.નં .૧૮ વાળા અનાર્મ હે.કો. ઘનશ્યામભાઇ મેરામભાઇ ડેરવાળીયા નાખી સીટી – સૌ પો.સ્ટે જામનગર ખાતે હાજર થયે તેઓને એલ.સી.બી. જામનગર ખાતે તથા અ.નં. ૨૧ વાળા અનાર્મ હે.કો. પ્રતિપાલસિંહ જીતુભા જાડેજા નાઓ પંચ – બી પો.સ્ટે . ખાતે હાજર થયે તેઓને મદદનીશ પોલીસ અધિક્ષક ની કચેરી , જામનગર શહેર ખાતે એટેચ તરીકે ફરજ બજાવવા માટે છૂટા કરી મોકલી આપવાના રહેશે તેમજ હાલમાં સીટી – સી પો.સ્ટે . જામનગર ખાતે ફરજ બજાવતા આર્મ પો.કો. ફિરોજ ગુલમામદ ખફી નાઓને પણ એલ.સી.બી.જામનગર ખાતે એટેચ તરીકે ફરજો બજાવવા માટે આથી ફાળવવામાં આવે છે.