ગુજરાતના ચકચારી કિશનની હત્યા પાછળ પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ખળભળાટ

0
2525

ગુજરાતના ચકચારી કિશનની હત્યા પાછળ પાકિસ્તાન કનેક્શન ખૂલતાં ખળભળાટ, ગુજરાત એટીએસની ટીમ તપાસ અર્થે દિલ્હી રવાના..

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે ઝડપાયેલ મૌલનાના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું ખુલાસો..

પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયા તાર

ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ..દેશ દેવી ન્યુઝ જામનગર 29.અમદાવાદ: સમગ્ર ગુજરાત અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી લીધી છે જેમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે.

આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી.

તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો મૌલાના પોતાના સંગઠન દ્વારા લોકોમાં કટ્ટરવાદ ફેલાવતો હતો અને પાકિસ્તાની સંગઠનો સાથે તેનો સીધો સંબંધ હતો. ગુજરાતમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો ખેલ છેક પાકિસ્તાનથી ખેલાઈ રહ્યો હતો.

આટલા મોટા ખુલાસા બાદ હવે ગુજરાત એટીએસની બે ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે અને વધુ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે.

કિશનની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડાયો?

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો. હત્યારો શબ્બીર મૌલાના ઐયુબને મળવા અનેકવાર જતો હતો અને કિશનની હત્યા કરવા માટે પ્લાનિંગ કરતાં હતા. ઐયુબ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જે હત્યા કરવા માટે આપી હતી.