જામનગરના પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાન પર પીન્ટુ લાખાણીનો હુમલો

0
3516

જામનગરમાં પુનિતનગર વિસ્તારમાં જૂની અદાવતના કારણે ખેડૂત યુવાન પર છરી વડે હુમલો : પીન્ટુ લાખાણી સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 11. મૂળ લાલપુર તાલુકાના જાખર ગામ માં રહીને ખેતી કામ કરતા નરેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા નામના ખેડૂત યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી પોતાની કારમાં પથ્થરમારો કરી તોડફોડ કરી નાખવા અંગે પીન્ટુ લાખાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ખેડૂત યુવાન તથા આરોપીને અગાઉ તકરાર થઈ હતી. જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે ફરિયાદી યુવાન પોતાની કાર લઇને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન આરોપીએ આવી હુમલો કરી દીધો હતો, અને કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી હતી.

આથી સીટી બી. ડિવિઝન પોલીસે નરેન્દ્રસિહ ગુમાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી IPC કલમ 324, 427, 504 તથા જી.પીએકટ 135 (1) મુજબ  પીન્ટુ લાખાણી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.