સગીરાનું અપહરણ : રાણા રામાભાઈ મેર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

0
1263

જામરાવલની સગીરાનું અપહરણ : રાણા રામાભાઈ મેર સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪. ભાટિયા: કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની 16 વર્ષની સગીર વયની પુત્રીનું ગત તારીખ 12 ના રોજ રાત્રીના સમયે લલચાવી ફોસલાવી બદકામના ઇરાદાથી અપહરણ થયું હોવાનું પરિવારજનોના ધ્યાને આવ્યું હતું છે.

જેથી આ બનાવ અંગે સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ પ્રકરણમાં શકદાર તરીકે રાણાવાવ તાલુકાના ભોદ ગામે રહેતા અને મૂળ રાવલ ગામના રહીશ રાણા રામાભાઈ મેર નામના શખ્સ નામ જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.