જામનગરની સહકારી બેંકમાં લોનના હપ્તા “ન” ભરનાર મોરબીની હેલ્થ વર્કર સામે ફરિયાદ

0
2226

જામનગરની સહકારી મંડળીને બેંક લોન ભરપાઇનો ચેક બાઉન્સ તથા મોરબીના મહિલા સામે કોર્ટમાં કેસ નોંધાયો..

જામનગરની શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.એ મોરબીની સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે ચેક રીટર્નનની ફરિયાદ નોંધાવી..

દેશ દેવી ન્યુઝ જામનગર: ૦૯ શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., જામનગર વતી તેના રીકવરી ઓફીસર વિરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજાએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-138 હેઠળ મોરબી જીલ્લાના મગથાળા ખાતે રહેતા સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે જામનગરના મે. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદની વિગત મુજબ આ કેસના ફરિયાદ (શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી., જામનગર વતી તેના રીકવરી ઓફીસર વિરભદ્રસિંહ જુવાનસિંહ જાડેજા) જામનગરમાં નાણાં ધીરધારનું કામકાજ કરતા હોય, મોરબી જીલ્લાના મગથાળા ખાતે રહેતા સંગીતાબેન મનસુખભાઇ નિમાવતએ શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. પાસેથી તા.9-1-2015 ના રોજ રૂા.1 ,50, 000 / – (અંકે રૂપિયા એક લાખ પચાસ હજાર પુરા)ની લોન લીધેલ છે.

આરોપી અને ફરિયાદી સાથે સદરહુ લોન અંગે સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે જરૂરી ડોકયુમેન્ટમાં સહીઓ કરી આપેલ પણ હતા. ઉપરોકત્ત લોન મળ્યા અંગે સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે લોનની શરતો મુજબ મંડળીને ફરિયાદીને માસિક હપ્તામાં લોન ભરપાઈ કરવાનીં હતી.

સંગીતાબેન મનસુખભાઇ નિમાવતને આપવામાં આવેલ સદરહુ લોન અંગે ફરિયાદીના ચોપડે કાયદાની જોગવાઈઓ મુજબ આ કામના તહોમતદારનું ખાતું રાખવામાં આવેલ છે. જેની નકલ તહોમતદારને આપવામાં આવેલ છે. તણો મતદાર સાથેના દરેક વ્યવહારની નોંધ તેમના ખાતામાં કરવામાં આવેલ છે .તહોમતદારને માંગ્યા મુજબ લોન એકાઉન્ટની ડીંટેઈલ્સની નકલ આપવામાં આવેલ છે.

જેમાં સંગીતાબેન મનસુખભાઇ નિમાવત પાસેથી હવે મંડળીની કુલ બાકી રકમ રૂા.11, 248/ – લેણી રહે છે. સદરહુ લેણી રકમ ભરપાઈ કરવા ફરિયાદીએ તહોમતદારને યાદી આપેલ અને લોનની બાકી ચડત રકમ ભરપાઈ કરી ગપવા જણાવેલ. બાદમાં તહોમતદારએ અમો ફરિયાદીની બાકી રહેતી લેણી રકમ ચુકવવા સ્ટેટ બેક ઓફ ઈન્ડીયા , બગથળા, નાના રામજી મંદિર રોડ, મોરબીના ચેક નં.351128, તા.ર1-10-20221ના રોજનો રૂમ.11, 248/ – અંકે રૂપિયા અગીયાર હજાર બસો અડતાલીસ પુરાનો ચેક અમો ફરિયાદીના નામ જોગનો આપેલ.

સંગીતાબેન મનસુખભાઇ નિમાવતે મંડળીને ખાતરી આપેલ કે આ ચેક સમયસર મંડળીના ખાતામાં જમા-ક્લિયર થઇ જશે. જેથી મંડળીએ એકસીસ બેંક લી., દિગ્વીજય પ્લોટ જામનગરના ખાતામાં કલીયરીંગ માટે જમાં કરાવતાં મજકુર ચેક ‘ફન્ડ ઇન્સફીશીયન્ટ’ના શેરા સાથે પરત આવેલ, ની જાણ અમાં ફરિયાદીને એકસીસ બેંક લી., દિગ્વીજય પ્લોટ , જામનગરના તા.22-10-2021ના રીટર્ન મેમા દ્વારા જાણ કરવામાં આવેલ છે.

આમ તહોમતદારનો ઈરાદો થમથી જ અમોને ચેક સુજબની રકમ નહિં ચુકવવાનો હતો, જે જાણીને અમોને ખુભજ દુ: ખ અને આઘાત લાગેલ છે, તેમજ તહોમતદારનું આ કૃત્ય ષી ગેગોશીએબલ ઇન્સ્ટ્મેન્ટ એકટની કલમ-138 મુજબ સજાને પાત્ર ગુનાહિત કૃત્ય છે.

મજકુર ચેક ઉપરોકત મેમામાં દર્શાવેલા શેરાના કારણે પરત થતાં અમો ફરિયાદીએ તા.27-10-2021 ના રોજ તહોમતદારને કાયદા મુજબની સ્ટચ્યુટરી નોટીસ રજી.એ.ડી. થી તેના ખરા અને કાયદેસરના સરનામે મોકલાવેલ અને તેમાં ચેક મુજબ રેક પંદર દિવસમાં ચુકવી આપવા જણાવેલ. આ કામના તહોમતદારને નેના સાચા અને ખરા સરનામે રજી.એ.ડી. થી મોકલાવેલ નોટીસ બજેલ કે વગર ’બાગથળામાં ન હોવાથી પરત ના શેરા સાથે તા.12-11-2021ના રોજ પરત આવેલ.

આમ મંડળીએ સંગીતાબેન મનસુખભાઇ નિમાવતને રજી.એ.ડી. થી મોકલાવેલ નોટીસ પરત આવેલ. ત્યારબાદ પંદર દિવસ કરતા પણ વધારે સમય પસાર થઈ જવા છતાં તહોમતદારે અમો ફરિયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નથી અને નોટીસનો કોઈ જવાબ આપેલ નથી , જેથી હાલની આ ફરિયાદ લાવવા ફરજ પડેલ છે.

આ ફરિયાદવાળો વ્યવહાર આપ નામ. કોર્ટની હ્કુમતમાં થયેલ હોય જેથી આ ફરિયાદ સાંભળવા આપ નામ. કોર્ટને હકુમત છે.

હવે સંગીતાબેન મનસુખભાઇ નિમાવત સામે ધી નેગોશીએભલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ-138 અન્વયે કાયદેસર કાર્યવાહી કરી તહોમતદારને વધુમાં વધુ થઈ શકતી કેદની સજા તથા ચેકની રકમ કરતા બમણી રકમનો દંડનો હુકમ કરવા અદાલતમાં કેસ નોંઘયેલ છે.