જામનગરમાં તસ્કરોનો તરખાટ: રીટાયર્ડ પોલીસકર્મીના મકાન સહિત 3 સ્થળોએ ખાતર પાડ્યું

0
1568

જામનગરમાં તસ્કરોનો તરખાટ:  રીટાયર્ડ પોલીસકર્મી ના મકાન સહિત ત્રણ સ્થળોએ ખાતર પાડ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૩..જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલાં નિરમલનગરમાં રહેતાં નિવૃત પોલીસકર્મી સહિતના બે વ્યકિતઓના મકાનમાં તેમજ એક દુકાનમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટકયા હતાં. એક સાથે ત્રણ સ્થળોએ થયેલા ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ગત માસમાં પણ પાંચ સ્થળોએથી ચોરીના બનાવ બન્યા હતાં. પોલીસે રામેશ્ર્વરનગરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસ્યા હતાં.

જામનગર શહેરમાં ગઇકાલ ગુરૂવારે રાત્રીના સમયે જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા નિરમલનગરમાં રેહતાં નિવૃત પોલીસકર્મીના મકાન સહિત બે મકાનોમાં અને એક દુકાનમાં ચોરી અને ચોરીનો પ્રયાસ થયાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને નિવૃત પોલીસકર્મીના મકાન સહિતના ચોરીના સ્થળોએ તપાસ આરંભી હતી.

તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસ ટીમે આજુબાજુમાં રહેલાં સીસીટીવીના ફુટેજો નિહાળ્યા હતાં અને આ ચોરીના બનાવમાં કેટલાની રોકડ અને માલમતાની ચોરી થઇ છે તે અંગે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.