રામેશ્વરનગરમાં વાહન લે – વેચના ધંધાર્થી પર પિતા – પુત્રોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યાની રાવ

0
2723

રામેશ્વરનગરમાં વાહન લે – વેચના ધંધાર્થી પર પિતા – પુત્રનો હુમલો..

પિતાએ ફોન કરી ધમકાવ્યો.. પછી સમાધાન માટે બોલાવ્યા બાદ પુત્રોએ લમધાર્યો.. હાથમાં કર્યાં ફ્રેકચર.. જી.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ..

જોડિયા તાલુકાના કુંન્નળ ગામના અને હાલ જામનગર રહેતા પ્રવીણસિંહ વાઘજીભાઈ જાડેજા ઉપર તેના જ કુટુંબીજનો હુમલો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૧. જામનગરમાં વાહન લે વેચનો ધંધો કરતા એક યુવાન પર પિતા અને તેના બે પુત્રોએ હુમલો કરી માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પિતાએ ફોન કરી ધમકાવ્યા બાદ તેના બે પુત્રોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જોડીયાના કુંન્નડ ગામના અને હાલ જામનગરમાં રામેશ્વરનગર વિસ્તાર નિર્મળનગરમાં રહેતા પ્રવીણસિંહ વાઘજીભાઈ જાડેજા નામના યુવાનને સોમવારે સવારે સાડા અગ્યારેક વાગ્યા આસપાસ આરોપી અનોપસિંહ જાડેજાએ ફોન કરી બીભત્સ વાણી વિલાસ આચરી મનફાવે તેવી ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી હતી.

ત્યારબાદ તેના બે પુત્રો રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા તથા યુવરાજસિંહ અનોપસિંહ જાડેજાએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ડાબા હાથની કોણીના ભાગે ઈજા પહોચાડી તેમજ ઢીક્કા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી.

આ બનાવ અંગે સીટી બી ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી પીએસઆઈ એમ.એમ.નંદા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે .