જામનગર જિલ્લામાંથી બે સગીરાઓના અપહરણથી ખડભળાટ

0
1250

જામનગર જિલ્લામાંથી બે સગીરાઓના અપહરણથી ચકચાર..

જામનગર તાલુકાના નંદપુર ગામમાં ખેતમજુરી કરતા દાહોદ પંથકના પરિવારમાં બની ઘટના..

બે સગીર બહેનોને કુટુંબી કાકા અને પિતરાઇ ભાઇ સામે નોંધાવી ફરિયાદ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૩. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી બે સગીરાઓને દાહોદના બે શખ્સો લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપરહણ કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાનું દાહોદ જિલ્લાનાં ધાનપુર તાલુકાના વાકોટા ગામમાં રહેતો સંજય મોહન ભુરિયા નામનો શખ્સ લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો.

તેમજ અન્ય બનાવમાં 17 વર્ષની સગીરાને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નાંદવા ગામમાં રહેતો અમીત બદીયા ભુરા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી અપહરણ કરી ભગાડી ગયાના બનાવમાં સીપીઆઇ આર.બી.ગઢવી તથા તથા સ્ટાફે બંન્ને બનાવમાં દાહોદના બે શખ્સો વિરૂઘ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.