જામનગરની ખવાસ પરણિતાને રાજકોટના સાસરિયાઓએ કાઢી મૂકી: પોલીસ ફરિયાદ

0
1115

જામનગરની યુવતીને દહેજ માટે ઘરમાંથી કાઢી મુકાઇ: રાજકોટના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ..

સ્ત્રી અત્યાચારના વધતા જતા બનાવ ચિંતાનો વિષય..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રo. જામનગરની યુવતીને રાજકોટના દહેજ ભૂખીયા સાસરીયા દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારકૂટ કરીને ઘરમાંથી કાઢી મૂકી અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગરના મકવાણા સોસાયટીમાં રોજી ટાવર રૂમ નંબર 301 ખાતે હાલમાં રહેતી હેતલબેન પૃથ્વીભાઇ ચૌહાણ ઉમર વર્ષ 38 નામની પરિણીતાએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની આનંદ નગર કોલોની પંચશીલ એપારમેન્ટ એફ -વન રૂમ નંબર 14 ખાતે રહેતા પતિ પૃથ્વીભાઇ ઘનશ્યામભાઈ ચૌહાણ, સાસુ જ્યોત્સનાબેન ઘનશ્યામ ચૌહાણની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને લગ્નજીવન દરમિયાન નાની નાની વાતમાં ઝગડો કરીને અપશબ્દો બોલી અવાર નવાર દહેજ પેટે પૈસાની માગણી કરી મારકુટ કરીને એકબીજાને મદદગારી કરી હતી.

આથી પોલીસે હેતલબેન ની ફરિયાદ પરથી IPC કલમ- ૪૯૮એ, ૩૨૩ ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રથા ધારા ૧૯૬૧ની ક. ૪ ૬ મુજબ ગુનો નોંધી ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.