જામનગરના વેપારીએ ચોટીલાની હોટલમાં કર્યાં આપઘાત: ખળભળાટ

0
1829

ભાગીદાર જયેશ રણછોડભાઈ પટેલે જાણ બહાર કારખાનું વેચી નાખતા કમલેશ મુળજીભાદરીયાએ કરી જેરી દવા પીને મોતને વ્હાલું કર્યું ..

મૃતકની પત્નીએ ભાગીદાર જયેશ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણા અંગેની નોંધાવી ફરિયાદ.

જામનગરના એક વેપારીએ ચોટીલાની હોટલમાં રૂમ રાખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૭.જામનગરના ભૂમિ રેસિડેન્સીમાં રહેતા કમલેશભાઈ મુળજીભાઈ ભાદરયાને આર.આર.મશીનરી અને હાર્ડવેર નામની પોતાની દુકાન હતી .

જયારે તેઓએ ભાગીદારીમાં સાતેક વર્ષ અગાઉ જયેશ રણછોડભાઈ પટેલ સાથે જે.કે.મશીન ટુલ્સ નામનું કારખાનું કર્યું હતું થોડા સમય અગાઉ જયેશભાઈએ કમલેશભાઈ ની જાણ બહાર આ કારખાનુ બે વર્ષ પહેલા વેચી નાંખ્યું હતું કારખાનુ વેચાયાની જાણ થયા બાદ કમલેશભાઈ અવારનવાર તેમની પાસે હિસાબ માંગતા હતા. પરંતુ જયેશભાઈહિસાબ આપતા “ન” હતા.

આથી લાગી આવતા કમલેશભાઈ ગત તા . ૩૧ મી ઓકટોબરે ચોટીલા દર્શન કરવા જઉં છું , તેમ કહી ઘરેથી નીકળ્યા હતા . જેમાં તા . ૧ ના રોજ કમલેશભાઈના પત્ની સંજનાબેન અવારનવાર ફોન કરવા છતાં કમલેશભાઈ ફોન ઉપાડતા ન હતા.

આથી તેઓએ તપાસ કરતા કમલેશભાઈ ચોટીલામાં આવેલી આકાશ પેલેસ હોટલના રૂમ નં . ૧૧૩ માં રોકાયા હતા અને તેઓએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. હાલ આ મુદ્દે જામનગર શહેરમાં સારી એવી ચર્ચા જગાડી છે.