કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપીની વિરપુરથી દબોચી લેતી રાજકોટ રૂરલ LCB

0
467

કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ

રાજકોટ રૂરલ એલ.સી.બી.ની ટીમે વિરપુરથી દબોચ્યો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧પ. જામનગર જીલ્લાના કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર શખ્સને રૂરલ એલસીબીની ટીમે વિરપુરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગરના કાલાવડ પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં સામેલ શખ્સ વિરપુરમાં હોવાની રૂરલ એલસીબીના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ તથા કોન્સ. પ્રહલાદસિંહને બાતમી મળતા કાર્તિક ભુપતભાઇ મોરી (ઉ.વ.21) (રહે. કાલમેઘડા ગામ, તા. કાલાવડ) ને વિરપુરમાંથી પકડી લીધો હતો.

આ કામગીરી રૂરલ એલ.સી.બી.ના પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ, અમીતસિંહ, હેડ કોન્સ. મહિપાલસિંહ, હેડ કોન્સ. અનિલભાઇ, બાલકૃષ્ણભાઇ, પ્રહલાદસિંહ, ભાવેશભાઇ, અમુભાઇ, નરેન્દ્રભાઇ, સાહિલભાઇ તથા અનિરૂધ્ધસિંહ દ્વારા કરવામાં આવી હતી.