જામનગર શહેરમાં RSS દ્વારા વિરાટ નગર પથ સંચલન: મુખ્ય માર્ગ પર પરિભ્રમણ

0
714

જામનગર શહેર માં આરએસએસ દ્વારા વિરાટ નગર પથ સંચાલન..

200 થી વધુ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા ઘોષ-બેન્ડના તાલે મુખ્ય માર્ગો પર પરિભ્રમણ.
ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૫. જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયાદશમી નિમિત્તે પથ સંચલન શહેરના રાજમાર્ગો પર ફરે છે જેના અનુસંધાને ગત રવિવારે સાંજે 5-30 કલાકે ધનવંતરી મેદાનથી શરૂ થઇ આ પંથ સંચલન શહેરના મુખ્ય રાજમાર્ગો પર થઇ ફરી ધનવંતરિ મેદાન ખાતે પૂર્ણ થઇ હતી. જામનગર શહેર માં રવિવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર.એસ.એસ. ના સ્વયંસેવકો જ્પુર્ણ ગણવેશ ધારણ કરીને શહેર ના વિવિધ વિસ્તારો માં ઘોષ (બેન્ડ) ના તળે પથ સંચાલન માં જોડાયા હતા જ્યારે શહેર ની વિવિધ 29 થી વધુ સંસ્થાઓ દ્વારા શહેરના માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જામનગર શહેર માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજ ને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું ધન્વંતરિ ગ્રાઉન્ડ થી પથ સંચાલન નો પ્રારંભ થયો હતો જેમાં આર.એસ.એસ. ના 200 થી વધુ સ્વયંસેવકો ગણવેશ માં ખાખી પેન્ટ, કાળિટોપી, સફેદ શર્ટ, પટ્ટો, તેમજ બુટ મોજા પહેરીને તેમજ હાથ માં દંડ (લાકડી )રાખીને ચાર ચાર ની કતારમાં પાઠ સંચાલનમાં જોડાયા હતા.

વિજયાદશમી ના તહેવારને અનુલક્ષી ને યોજાયેલા પથ સંચાલન નો ધન્વંતરિ મંદિર થી પ્રારંભ થયો હતો જ્યાં સૌપ્રથમ પ્રાર્થના નું ગાયન કર્યા પછી સંચાલન નો પ્રારંભ કરાયો હતો જે ધન્વંતરિ ગ્રાઉન્ડ થી પ્રારંભ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ, પંચમુખી હનુમાનજી મંદિર, જુળેલાલ મંદિર, રામમંદિર બેડી ગેઇટ, રાધાકૃષ્ણ મંદિર ટાઉનહોલ , ભીડભંજન મહાદેવ મંદિર , આંબેડકરજી ની પ્રતિમા (લાલ બાંગ્લા , વિનુ માંકડ ની પ્રતિમા, ગુરુદ્વારા હનુમાનજી મંદિર થઈ ધન્વંતરિ ગ્રાઉન્ડ માં પૂર્ણ થયું હતું જે પથ સંચાલન ના માર્ગ પર ઠેર ઠેર આર.એસ.એસ. સંલગ્ન જુદી જુદી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ નગર ના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી.