લ્યો બોલો.. જામનગરની જી.જી હોસ્પિટલે માર્યાં સંડાશમાં સીલ..! अंदर आना मना है

0
1171

જામનગરની જી.જી. હોસ્પિટલના શૌચાલયોમાં સીલ લગાવાયા !

સોચાલય – બાથરૂમમાં સીલના પગલે દર્દીઓ દ્વારા બાથરૂમની બહાર યુરીનલ કરતા હોવાને કારણે ગંદકીમાં વધારો થયો છે..

હાલ જી.જી હોસ્પિટલનો સંડાસમાં સીલ કરવાનો કીમિયો કામીયાબ થશે કે પછી ઘરની ધોરાજી ચાલશે..!

દર્દીઓ અને તેના પરિજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા : ભારે આક્રોશ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : રર. જામનગરની જી.જી. હોસ્પિટલ અવનવા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. જ્યાં સુધી કોઈ નવો વિવાદ ન કરે ત્યાં સુધી તંત્રને ચેન નથી પડતો.! તેવામાં સંડાસમાં સીલ મારી દેતા દર્દીઓમાં દેકારો બોલી ગયો હતો

હવે જી.જી.હોસ્પિટલના સતાધીશોને શું ચાનક ચડી કે નવી બિલ્ડીંગમાં આવેલા સાતમા માળના તમામ શૌચાલયો જાજરૂને સીલ કરી તાળા મારી દીધા છે.જેના કારણે દર્દીઓ અને તેના પરિજનોની હાલત કફોડી બની છે.

જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ અને તેના સગા આવે છે. અહીંની નવી બિલ્ડીંગમાં બનેલી હોસ્પિટલમાં શૌચાલયો અને જાજરૂની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ જી.જી. હોસ્પિટલના સતાધીશોને વિકૃત આનંદ આવ્યો હોય તેમ હોસ્પિટલના સાતમા માળે આવેલા તમામ શૌચાલયો અને જાજરૂને પ્લાસ્ટીકના રેપરથી સીલ લગાડી તાળાં મારી દીધા છે . જેના કારણે ત્યાં હાજર દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓની હાલત કફોડી બની ગઇ છે.

આ અંગે જી.જી.ના સુપ્રિટેન્ડન્ટ ડો.દિપક તિવારીના જણાવ્યા અનુસાર શૌચાલયોનું રીપેરીંગ કામ હોવાથી બંધ આવ્યા હોવાનું ગાણુ  ગાયું હતુ.!, પરંતુ આવી રીતે જડબેસલાક સીલ મારીને બંધ કરવાનું કારણ જણાવી શકયા ન હતાં. પરંતુ સીલનોં મુદા એ સારી એવી ચર્ચા જગાડી છે.