15 વર્ષથી ફરાર મઘ્યપ્રદેશના બળાત્કારના આરોપીને જામજોધપુરથી ઝડપી લેતી SOG.

0
997

15 વર્ષથી ફરાર મઘ્યપ્રદેશના બળાત્કારના આરોપીને જામજોધપુરથી ઝડપી લેતી એસ.ઓ.જીદેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ૦૮. જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચનાથી એસ.ઓ.જી.ના પો. ઇન્સ. એસ.એસ. નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર. વી. વીંછી તથા સ્ટાફના માણસો જામ જોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન સ્ટાફના ઘનશ્યામભાઇ ડેરવાળીયા તથા અરજણભાઇ કોડીયાતર ને બાતમી મળેલ કે, ભીગનગાવ પો.સ્ટે.જી. ખરગોન (મધ્ય પ્રદેશ) ગુ.ર.નં. 276/2005 ઇ.પી.કો. કલમ-363, 366, 376 વિગેરે મુજબના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી દીલીપ ઉર્ફે મુન્નો વિઠ્ઠલભાઇ કાંજીયા પટેલ ઉ.વ. 45 રહે. જામ જોધપુર કડીવારના નાકા પાસે વાળો હાલ માર્કેટીંગ યાર્ડના મેઇન ગેઇટથી ફાટક તરફ આગળ રોડ પર ઉભેલ છે જે જગ્યાએ જઇ તપાસ કરતા ઇસમ ઉભેલ હોય તુરત જ પકડી લઇ હસ્તગત કરી ભીગનગાવ પો.સ્ટે. જી. ખરગોન (મધ્ય પ્રદેશ) પો. સ્ટે.ને આરોપી પકડયા અંગે જાણ કરી આરોપીને જામ જોધપુર પો. સ્ટે. સોંપી આપેલ છે.