દિગ્વિજય પ્લોટમાં બીમારીથી કંટાળી અશોક શાહ નામના વૃદ્ધાએ કરી આત્મહત્યા

0
778

જામનગરના દિ.પ્લોટ-23માં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧. જામનગર શહેરના દિ.પ્લોટ 23 માં આવેલા સાંઈ રેસીડેન્સમાં રહેતાં અશોકભાઇ નેમચંદભાઈ શાહ (ઉ.વ.67) નામના વૃદ્ધને છેલ્લાં 20 વર્ષથી માનસિક બીમારી થઈ હતી,

અને આ બીમારીની સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા

જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાકેશભાઇ ગોસરાણી દ્વારા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.