જામનગરમાં ધોધમાર વરસાદના કારણે સામાન પલળી જતાં મુસ્લિમ વેપારીનો આપઘાત: અરેરાટી

0
1782

જામનગરમાં ધોધમાર વરસાદના કારણે સામાન પલળી જતાં મુસ્લિમ વેપારીનો આપઘાત

મુસ્લિમ સમાજમાં અરેરાટી…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : અહીં કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.- 2, જામનગરમાં રહેતા રૂકસાનાબેન ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.38 એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.43, રે. કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.-2, જામનગરવાળા 2011ની સાલથી માનસીક બિમાર હોય અને તેની દવા ચાલુ હોય અને વાત વાતમાં માનસીક ટેન્શનમાં રહેતા હોય અને થોડા સમય પહેલા વરસાદના કારણે દુકાનનો માલસામાન પલળી ગયેલ જે બાબતે સતત ચીંતામાં રહેતા હોય જેનું મનમા લાગી આવતા આપઘાત કર્યો છે.