પર્યુષણનો આજથી પ્રારંભ, 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ

0
235

પર્યુષણનો આજથી પ્રારંભ, 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ

જામનગર: પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. એક તરફ શ્રવણ મહિનો છે તો બીજી તરફ દેરાસરમાં લોકો જોવા મળી રહ્યા છે. 10 સપ્ટેબરે સાવંત્સરીનું પર્વ ઉજવાશે. જે બાદ ગણેશોત્સવની ધૂમ જોવા મળશે.

જામનગર શહેરમાં અનેક કૃષ્ણ મંદિરો પણ આવેલા છે, જ્યાં જન્માષ્ટમીના પર્વને લઇને રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી, અને રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રી સુધી દર્શન માટેની છૂટ આપવામાં આવી હોવાથી અનેક ભાવિકો કૃષ્ણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા હતા.

જામનગરના ટાઉન હોલ નજીક આવેલા પુરાતન રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને રાત્રીના 12 વાગ્યે અનેક દર્શનાર્થીઓ જોડાયા હતા.

જ્યાં મહાઆરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ હતી. મંદિર પરિસરની બાજુમા જ વિશાળ મેદાન આવેલું છે, જેમાં વિશાળ કદનો સ્ક્રીન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મંદિર પરિસરની અંદર ની મહાઆરતી સાથે ના લાઈવ દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો.